અળસી ખાય તે ગાશે જવાની જિંદાબાદ, અને ગઢપણ બાયબાય જાણો દરરોજ ખાવાના ફાયદા

0

જે અળસી ખાય તે ગાશે જવાની જિંદાબાદ, અને ગઢપણ બાયબાય જાણો દરરોજ ખાવા જેવી વસ્તુ અળસી વિષે અળસી એક ચમત્કારી આયુર્વેદિક, આરોગ્યવર્ધક દૈવિક ભોજન. તમને આ લેખ માં તે જણાશે કે કેમ તેને દૈવી પદાર્થ કહે છે અળસી ને દુર્ગા નું રૂપ જ કહે છે. આજે આ આર્ટીકલ માં તમે અળસી નાં ફાયદા વાંચતા થાકી જશો પણ અમે કહેતા નહિ થાકીએ વાંચો

ગુણધર્મ અળસી એક પ્રકારના તીહલન છે. જેના બીજ સોનેરી રંગના અને ખુબ જ લીસા હોય છે. ફર્નીચરનું વાર્નિશ ના તેના તેલનો આજે પણ ઉપયોગ થાય છે. આયુર્વેદિક મત મુજબ અળસી વાતનાશક, પિત્તનાશક અને કફનાશક પણ હોય છે. મૂત્રની અસર અને વ્રણરોપણ, રક્તશોધક, દુગ્ધવર્ધક, ઋતુસ્ત્રાવ નિયામક,ચરમવિકારનાશક, સોજો અને દુઃખાવો મટાડનાર, બળતરા મટાડનાર હોય છે. યકૃત, આમાશય અને આતરડા નો સોજો દુર કરે છે. હરસ અને પેટનો વિકાર દુર કરે છે. સોજયેલ કિડનીની પથરી દુર કરે છે. અળસીમાં વિટામીન ‘બી’ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, લોહ, જીંક, પોટેશિયમ અને ખનીજ લવણ હોય છે. તેના તેલમાં 36 થી 40 ટકા ઓમેગા-3 હોય છે. જ્યારથી પરિષ્કૃત એટલે “રીફાઇન્ડ તેલ” (જે બનતી વખતે ઉચા તાપમાન, હેગ્જેન, કોસ્ટિક સોડા, ફોસ્ફોરિક એસીડ, બ્લીચીંગ વગેરે ઘાતક રસાયણોમાંથી પસાર થાય છે) ટ્રાસફેટ યુક્ત પૂર્ણ કે આંશિક હાઈડ્રોજીનેટેડ વસા એટલે કે વનસ્પતિ ઘી (જેનો ઉપયોગ બધા પેકેટબંધ ખાદ્ય પદાર્થો અને બેકરી બનાવટમાં બનાવવામાં કરવામાં આવે છે) રાસાયણિક ખાતર, જંતુનાશક, પ્રીજવેર્ટીવ, રંગ,રસાયણ વગેરે નો ઉપયોગ વધેલ છે ત્યાર થી ડાયાબીટીસ ના રોગીઓ ની શક્યતા વધી છે. કંદોઈ અને ભોજનાલય પણ વનસ્પતિ ઘી કે રીફાઇન્ડ તેલ નો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને ફરસાણને તળવા માટે તેલને વારંવાર ગરમ કરે છે જેનાથી તે ઝેર થી પણ ખરાબ થઇ જાય છે. ઘરમાં પણ રીફાઇન્ડ તેલ વપરાય છે. સંશોધકો તેને હાર્ટ અને ડાયાબીટીસ નું મુખ્ય કારણ માને છે. છેલ્લા ત્રણ ચાર દશકાથી આપણા ભોજનમાં ઓમેગા-3 વસા અલ્મ નું પ્રમાણ ખુબ જ ઓછું થઇ ગયું છે અને તેના લીધે આપણા શરીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6 વસા અમ્લ 6 વસા અમલો નું અનુપાત 1.40 કે 1.80 થઇ ગયું છે જયારે 1.1 હોવું જોઈએ. તે ડાયાબીટીસ નું એક મોટું કારણ છે. ડાયાબીટીસના નિયમન માટે આયુર્વેદિક, આરોગ્યવર્ધક અને સાત્વિક ભોજન અળસી ને “અમૃત” સમાન માનવામાં આવે છે.

અળસી શરીરને સ્વસ્થ રાખે છે અને આયુષ્ય વધારે છે. અળસી માં 23 ટકા ઓમેગા-3 ફેટી એસીડ, 20 ટકા પ્રોટીન, 27 ટકા ફાઈબર,લીગનેન, વિટામીન ‘બી’ ગ્રુપ, સેલેનિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, જીંક વગેરે હોય છે. આખા વિશ્વએ અળસી ને સુપર સ્ટાર ફૂડ તરીકે સ્વીકાર કરેલ છે અને આહારનો ભાગ બનાવી લીધો છે, પણ આપણા દેસ ની સ્થિતિ બિલકુલ જુદી છે. અડસી ને અતસી,ઉમા, ક્ષુમાં, પાર્વતી, નીલપુષ્પી, ટીસી વગેરે નામથી ઓળખવામાં આવે છે. અળસી દુર્ગા ના પાંચમું સ્વરૂપ છે. જુના જમાનામાં નવરાત્રી ના પાંચમાં દિવસે સ્કંદમાતા એટલે કે અળસી ની પૂજા કરવામાં આવતી હતી અને તેને પ્રસાદ તરીકે ખાવામાં આવતી હતી. જેનાથી વાત, પિત્ત અને કફ ત્રણે રોગ દુર થાય છે. ઓમેગા – 3 અસીડ નો સોર્સ છે અળસી ઓમેગા-3 આપણા શરીરની તમામ કોશિકાઓ, તેના ન્યુક્લીયસ, માઈટોકોન્દ્રીયા વગેરે સંરચનાઓ ના બહારનો ખોલ કે ઝીલ્લીયો નો મહત્વપૂર્ણ ભાગ હોય છે. તે આ ઝીલ્લીયો વાંછીત તરલતા, કોમળતા અને પારગમ્યતા પ્રદાન કરે છે. ઓમેગા-3 નો અભાવ થવાથી શરીરમાં જયારે આપણા શરીરમાં ઓમેગા-3 ની ઉણપ થઇ જાય છે તો એ ભીત્ત્તિયા મુલાયમ અને લચીલા ઓમેગા-3 ની જગ્યાએ કડક અને કદરૂપું ઓમેગા-6 ફેટ કે ટ્રાન્સ ફેટ થી બને છે. ઓમેગા-3 અને ઓમેગા-6 નું સંતુલન ખરાબ થાય છે, શાકાહારી પ્રોસ્ટાગ્લેડીન્સ બનવા લાગે છે, આપણી કોશિકાઓ ઇન્ફ્લેમ થઇ જાય છે. સરખી થવા લાગે છે અને ત્યાંથી બ્લડપ્રેશર, ડાયાબીટીસ, મોટાપો, ડીપ્રેશન, આર્થોઈટીસ અને કેન્સર વગેરે રોગ ની શરૂઆત થઇ જાય છે.

આયુર્વેદ મુજબ દરેક રોગનું મૂળ પેટ છે. અને પેટ સાફ રાખવામાં તે ઇસબગુલ થી પણ વધુ અસરકારક છે. આઈ.બી.એસ., અલ્સરેટીવ કોલાઈટીસ, અપચો, હરસ, મસ્સા વગેરે નો પણ ઉપચાર કરે છે અળસી. અળસી શર્કરા ને નિયંત્રિત નથી રાખતી, પણ મધુમેહની ખરાબ અસરને સુરક્ષા અને ઉપચાર કરે છે. અળસીમાં રેસા પુષ્કળ 27% ઉપર શર્કરા 1.8 % એટલે નગણ્ય હોય છે. તેથી તે શૂન્ય શર્કરા આહાર કહેવાય છે અને મધુમેહ માટે ઉત્તમ આહાર છે. અળસી બી.એમ.આર. વધારે છે. ખાવાની તલપ ઓછી કરે છે, ચરબી ઓછી કરે છે, શક્તિ અને સ્ટેમિના વધારે છે. આળસ દુર કરે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. આમ તો ઓમેગા-3 અને માંસપેશીઓ નો વિકાસ કરે છે એટલે બોડી બિલ્ડીંગ માટે પણ નંબર એક સપ્લીમેન્ટ છે અળસી.

અળસી કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર અને હ્રદયગતિને યોગ્ય રાખે છે. લોહીને પાતળું બનાવી રાખે છે અળસી. રક્તવાહીનીઓને સાફ કરતી રહે છે અળસી. ચશ્માં માંથી મુક્તિ આપાવે છે અળસી. દ્રષ્ટિ ને સ્પષ્ટ અને સતરંગી બનાવી દે છે અળસી. અળસી એક ફીલગુડ ફૂડ છે કેમ કે અળસી થી મન પ્રફુલ્લિત રહે છે, અકળામણ કે ગુસ્સો નથી આવતો. પોઝેટીવ વલણ બની રહે છે તે આપણા તન મન અને આત્માને શાંત અને સોમ્ય કરી દે છે. અળસી ના સેવનથી મનુષ્ય લાલચ, ઈર્ષા, દ્વેષ અને અહંકાર છોડી છે છે. ઈચ્છાશક્તિ, ધેર્ય, વિવેકશીલતા વધવા લાગે છે, પૂર્વાભાસ જેવી શક્તિઓ વિકસિત થવા લાગે છે. તેથી અળસી દેવતાઓનું પણ પસંદગી નું ભોજન હતું. તે એક કુદરતી વાતાનુકુલ ભોજન છે. મગજનું Sim card છે અળસી અહિયાં સીમ નો અર્થ સેનેટરી, ઈમેજીનેશન અને મેમરી તથા કાર્ડ નો અર્થ કન્સનટ્રેશન, ક્રિયેટીવીટી, અલર્ટનેટ, રીડીંગ રાઈટીંગ થીંકીંગ એબિલીટી અને ડિવાઈન છે. ત્વચા, વાળ અને નખ ને વનસર્જન કે નવા બનાવે છે અળસી. અળસી ના શક્તિશાળી ઓક્સીડેંટ ઓમેગા-3 અને લીગનેન ત્વચા ને કોલેજન ની રક્ષા કરે છે અને ત્વચા ને આકર્ષક,કોમળ, નમ, ડાઘ વગરની અને ગોરી બનાવે છે. અળસી સુરક્ષિત, સ્થાઈ અને ઉત્કૃષ્ટ ભોજન સોંદર્ય પ્રસાધન છે જે ત્વચા ની અંદર થી નિખાર લાવે છે. ત્વચા, વાળ અને નખ ના દરેક રોગ જેમ કે ખીલ, ઇગ્જીમાં, ધાધર ખરજવું, સુકી ચામડી, સોરાયસીસ, લ્યુપસ, ડેન્ડ્રક, વાળ ને સુકા, પાતળા અને બે મોઢા થવા, વાળ ખરવા વગેરે નો ઉપચાર પણ કરી આપે છે અળસી. કિશોરાવસ્થા માં અળસી નું સેવન કરવાથી ઉંચાઈ વધે છે. લીનનેન નો સૌથી મોટો સ્ત્રોત અળસી છે જે જીવાણુંવિરોધી, વિષાણુંવિરોધી, ફ્ફુંદરોધી અને કેન્સર વિરોધી છે. અળસી શરીરની રક્ષણ વિરોધી પ્રણાલી ને સુદ્રઢ કરીને શરીરના બહારના સંક્રમણ કે આઘાત સામે લડવામાં મદદ કરે છે. અને શક્તિશાળી એમ્ટીઓક્સીડેંટ છે. લીગ્નેન વનસ્પતિ વિશ્વમાં મળી આવતી એક ઉભરતી સાત સિતારા પોષક તત્વ છે જે સ્ત્રી હાર્મોન ઈસ્ટ્રોજન નું વનસ્પતિક સ્વરૂપ છે અને નારી જીવનના જુદી જુદી અવસ્થાઓ જેવી કે રજસ્વલા, ગર્ભાવસ્થા, પ્રસુતિ, માતૃત્વ અને રજોનિવૃત્તિ જનીન-કષ્ટ અને અભ્યસ્ત ગર્ભપાત નો કુદરતી ઉપચાર છે. લીગ્નેન દુગ્ધવર્ધક છે. લીગ્નેન સ્તન, બાળકદાની, આંતરડા, પ્રોસ્ટેટ, ત્વચા અને બીજા બધા કેન્સર, એઇડ્સ, સ્વાઈન ફ્લુ અને એલાર્જ પ્રોસ્ટેટ વગેરે બીમારીઓ થી બચાવે અને ઉપચાર કરે છે. સાંધાની તકલીફ નો ઉપાય છે અળસી. જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી નો સસ્તો અને ઉત્તમ ઉપચાર છે અળસી. આર્થાઈટીસ, શીયેટીકા,લ્યુપસ, ગાઈટ, ઓસ્ટીયોઆર્થાઈટીસ વગેરે નો ઉપચાર છે અળસી.

ઘણા અસાધ્ય રોગ જેવા કે અસ્થમા, એલજીમર્સ, મલ્ટીપલ સ્કીરોસીસ, ડીપ્રેશન, પાર્કીનસન્સ, લ્યુપસ નેફ્રાઈટીસ, એઇડ્સ, સ્વાઈન ફ્લુ વગેરે નો પણ ઉપચાર કરે છે અળસી. ક્યારે ક્યારે ચશ્માં માંથી પણ મુક્તિ અપાવે છે અળસી. દ્રષ્ટિ ને સ્પષ્ટ અને સરરંગી બનવી દે છે અળસી. અળસી વાંઝીયાપણું, પુરુષ્યહીનતા, શીઘ્રપતન અને સ્થમ્ભન દોષમાં ખુબ લાભદાયક છે. મોનોપોઝ (માહવારી સબંધિત) ની તકલીફો ઉપર પણ અસરકારક છે અળસી. પુરુષરોગ માં સસ્ટેન્ડ રિલીજ બીગ્રાયા છે અળસી જે અળસી ખાય તે ગાય જવાની જિંદાબાદ ગઢપણ બાય બાય . પુરુષને કામદેવ તો સ્ત્રી ઓ ને રતી બનાવે છે અળસી. બોડી બિલ્ડીંગ માટે નંબર એક સ્પલીમેંટ છે અળસી. સાંધા ની તકલીફ નો તોડ છે અળસી. જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી નો સસ્તો અને ઉત્તમ વિકલ્પ છે અળસી. ક્રુર, કુટિલ, કપટી, કડક, કષ્ટપ્રદ કર્કરોગ નો સસ્તો, સરળ, સુલભ, સંપૂર્ણ અને સુક્ષિત ઉપાય છે અળસી. 1952 માં ડૉ.યોહાના બુડવિગએ ઠંડી વિધિ થી નીકળેલ અળસી નું તેલ, પનીર,કેન્સર વિરોધી ફાળો અને શાકભાજી થી કેન્સર ના ઉપચારની રીત વિકસિત કરી હતી જે બુડવિગ પ્રોટોકોલ ના નામથી ઓળખવામાં આવે છે. તે કર્કરોગ નો સરળ, સસ્તો, સુલભ, સંપૂર્ણ અને સુક્ષિત ઉપાય છે. તેમાં 90 % થી વધુ સફળતા મળી હતી. તેના ઈલાજ થી તે રોગી પણ ઠીક થઇ જાય છે જેને હોસ્પિટલમાંથી એવું કહીને રજા આપી હોય કે હવે કોઈ ઉપાય નથી રહ્યો, એક કે બે જ કલાકમાં જીવશે હવે માત્ર દુવા જ કામ આવશે. તેમણે અર્પણ કરવામાં આવેલ નોબલ પુરસ્કારને એક નહી સાત વખત તિરસ્કાર કર્યો છે.

અળસી સેવન કરવાની રીત : આપણે રોજ 30-60 ગ્રામ અળસી નું સેવન કરવું જોઈએ. 30 ગ્રામ યોગ્ય પ્રમાણ છે, અળસી ને રોજ મિક્સર કે ગ્રાઈન્ડર માં વાટીને લોટમાં ભેળવીને રોટલી પરોઠા વગેરે બનાવીને ખાવી જોઈએ. ડાયાબીટીસ ના રોગી સવાર સાંજ અળસી ની રોટલી ખાવ. કેન્સરમાં બુડવિગ આહાર-વિહાર ને પાળવું પૂરી શ્રદ્ધા થી કરવું જોઈએ. તેનાથી બ્રેડ, કેક, કુકીજ,આઈસ્ક્રીમ, ચટણીઓ લાડવા વગેરે સ્વાદીષ્ઠ મીઠાઈ પણ બનાવવામાં આવે છે. અળસી ને સુકી કડાઈ માં નાખો, શેકી લો ( અળસી ને શેકતી વખતે ચટ ચટ અવાજ કરે છે) અને મિક્સરમાં વાટી લો. તેને થોડી કરકરી વાટો, એકદમ ઝીણી ન કરો, ભોજન પછી વરીયાળી ની જેમ તે ખાઈ શકાય છે.

અળસીનો પોટલી નો પ્રયોગ ગળા અને છાતીના દુઃખાવો, સોજો અને નીમોનીયા અને પાંસળી ના દુખાવામાં સતત કરવામાં આવે છે. તેની સાથે ઘાવ, મોચ, સાંધાના સોજા, શરીરમાં ક્યાય ગાંઠ કે ફોડકા ઉપડે તો તે લગાવવાથી તરત લાભ મળે છે. તે શ્વાસ નળીઓ અને ફેફસા માં જામેલા કફને કાઢીને દમ અને ખાંસીમાં રાહત આપે છે. તેનું મોટું પ્રમાણ વિરેચક અને નાનું પ્રમાણ કીડની ને ઉત્તેજના આપીને મૂત્ર પસાર કરે છે. તે પથરી, મૂત્ર, શર્કરા અને તકલીફથી મૂત્ર આવવા ઉપર ગુણકારી છે. અળસી નાં તેલનો ધુમાડો સુંઘવાથી નાકમાં જમા થયેલ કફ નીકળી આવે છે અને જુના જુકામ માં લાભ થાય છે. આ ધુમાડો હિસ્ટ્રીયા રોગમાં પણ ગુણકારી છે. અળસી ની રાબ થી એનીમા આપીને મળાશય ની શુદ્ધિ કરી શકાય છે. ઉદર રોગમાં તે તેલ પીવરાવવામાં આવે છે.

અળસીનું તેલ અને ચૂનાનું પાણીનો અકસ્માતે આગથી દાઝ્યાના ઘાવ ઉપર લગાવવાથી ઘાવ ખરાબ થતો નથી અને વહેલા ભરાય છે. પથરી, સોજો અને પેશાબમાં બળતરા માં અળસી નો ઉકાળો પીવાથી રોગમાં રાહત મળે છે. અળસીને ઘાણીમાં પીસીને કાઢવામાં આવેલ તેલ ને ફ્રીજમાં એર ટાઈટ બોટલમાં રાખી દો. સ્નાયુના રોગો, કમર અને ગોઠણ નો દુખાવામાં આ તેલ 15 મી.લી. ના પમાણમાં સવાર સાંજ પીવાથી ખુબ ફાયદો થાય છે. આ કામ માટે તેના બીજનું તાજું ચૂર્ણ પણ દસ-દસ ગ્રામ ના પ્રમાણમાં દૂધ સાથે ઉપયોગ માં લઇ શકાય છે. તે નાસ્તા સાથે લો. હરસ, ભગંદર, ફિશર વગેરે રોગમાં અળસી નું તેલ ( એરંડી ના તેલ જેવું) લેવાથી પેટ સાફ અને મળ ચીકણો અને ઢીલો નીકળે છે. તેનાથી આ રોગોની પીડા શાંત થાય છે. અળસી ના બીજ ને મિક્સર માં બનાવેલ કરકરું ચૂર્ણ 15 ગ્રામ, જેઠી મધ 5 ગ્રામ, સાકર 20 ગ્રામ, અડધું લીબુનો રસ ને ઉકળતા ૩૦૦ ગ્રામ પાણીમાં નાખીને વાસણ ને ઢાકી દો.ત્રણ કલાક પછી ગાળીને પીવો. તેનાથી ગળું અને શ્વાસ નળી નો કફ ઓગળીને જલ્દી બહાર નીકળી જશે. મૂત્ર પણ ખુલાસાબંધ આવવા લાગશે. તેની પૂલટીસ થોડી ગરમ કરીને ફોડલા, ગાંઠ, ગઠીયા, સંધિવા, સોજો વગેરે માં લાભ મળે છે. ડાયાબીટીસ ના રોગીઓને ઓછી ખાંડ અને વધુ ફાયબર ખાવાની સલાહ આપવામાં આવે છે. અળસી અને ઘઉં ને મિક્સ કરીને લોટમાં (જેમાં અળસી અને ઘઉં સરખા ભાગે હોય)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here