કેળા વિષે આજે આ જાણ્યા પછી તમે કેળાને જુદી રીતે જોતા થઈ જશો ગેરેંટી

0

કેળા વિષે આજે જાણ્યા પછી તમે કેળાને જુદી રીતે જોતા થઈ જશો…. કેળામાં ત્રણ પ્રકાર કુદરતી સાકર (સુગર) છે:સક્રોઝ,ફુકંટોઝ અને ગ્લુકોઝ ઊપરાંત પુસ્કળ ફાઈબર જે શરીરને તાત્કાલીક લાંબાગાળા ની શક્તિ પૂરી પાડેછે.

સંશોધનથી પુરવાર થયુ છેકે….ફક્ત ૨ કેળા ૯૦ મીનીટ સુધી જોરદાર શારીરિક શ્રમ માટે ફાયદાકારક છે

એટલા માટે દુનિયાભરના રમતવિરો માટે કેળાએ એક નંબરનુ ફ્રુટ છે. જુદા-જુદા રોગોમાં કેળા કેવી રીતે કામ કરેછે તે જોઈએ:

ડિપ્રેશન: હમણા ‘માઈન્ડ’ નામની સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે મુજબ જે લોકો ડિપ્રેશન થી પીડાઈછે તેમને કેળાથી રાહત થાયછે કારણકે….કેળામાં ટ્રીપ્ટોટીન નામનુ પ્રોટીન છે તેને શરિર શેરોટોનીન માં રુપાંતરન કરેછે,આ શેરોટોનીન વ્યક્તિનો મુડ હળવો કરી, આનંદમાં રખે છે.આ ઉપરાંત કેળામાંનુ વિટામીન B6 લોહીમાં ગ્લુકોઝ પ્રમાણ જાળવી વ્યક્તિને મૂડ મામ રાખે છે.

એનેમીયા ( નબળાઇ) : કેળામાં મોટા પ્રમાણમાં લોહતત્વ (આઇરન) હોયછે જે લોહીમાં હેમોગ્લોબીન નુ પ્રમાણ સારુ કરેછે અને નબળાઇ હટાવી શકે છે.

બ્લડ પ્રેસર: કેળા એકમાત્ર એવુ ફ્રુટ છે કે જેમાં ઉચ્ચતમ માત્રામાં પોટેસીયમ અને ઓછામાં ઓછી માત્રામાં સોલ્ટ છે જે બ્લડ પ્રેસર ને કંટ્રોલ માટે પુરતુછે. અમેરીકા ની ‘યુ એસ ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટેશન’ વિભાગે કેળાના ઉત્પાદકોને “કેળા બ્લડ પ્રેસર અને સ્ટ્રોક રોકનાર” હોવાની દાવો કરવાની ભલામણ करी छे.

બ્રઈન પાવર ( મગજ શક્તિ): અમેરીકા ની ટ્વીકનહામ સ્કુલના ૨૦૦ વિધ્યાર્થી ને સવારના નાસ્તા અને રીસેસમાં કેળા આપી પ્રયોગ હાથ ધરતા માલુમ થયુ કે કેળામાં ભરપુર માત્રામાં પોટેસીયમ હોવાથી વિધ્યાર્થીઓ માં જાગ્રુતતા વધી.

કબજીયાત: પ્રચુર માત્રામાં ફાઈબર હોવાથી કબજીયાત મટાડેછે તેમજ આંતરડાનુ હલનચલન પ્રમાણ કરેછે ઉપરાંત કેળા રેચક હોવાથી આંતરડા સાફ રાખે છે.

પેટમાં લોચા વળવા: કેળાનુ મીલ્કશેક બનાવી તેમાં મીઠાશ તરીકે મધ ઉમેરી પીવાથી હેંગઓવર-પેટમાં લોચાવળવાનુ બંધ થાયછે.

છાતીમાં બળતરા: કેળામાં કુદરતી એન્ટાસીડ છે એટલે જ્યારે પણ છાતીમાં બળતરા થતી હોય ૧ કેળુ તુરંત રાહત આપેછે.

મગજની નસો ને શાંત પાડેછે: કેળામાં વિટામીન બી ની માત્રા પુસ્કળ હોવાથી મગજની નસોને શાંત પાડે છે.

મચ્છર કરડવુ: મચ્છર કરડવા પર કેળુ ઘસવાથી ખંજવાળ કે સોજો આવતો નથી.L

પેટનુ અલ્સર: પાચનતંત્ર અને આંતરડાની અનિયમીતતા માટે કેળા ઉપયોગીછે કારણકે કેળાનુ સવાળાપણુ અને મુલાયમતા આંતરડા ની દિવાલ પર એક ક્રિમ ની જેમ પડ બનાવેછે.પેટના ચાંદા કે અલ્સરમાં ઓછુ એસીડ ઉત્પન થવા દઇ અલ્સરને ઝડપથી રુઝ લાવવામાં મદદરુપ થાયછે.કેળા એકમાત્ર કાચુ ફળછે જે પેપ્ટીક અલ્સરમાં ફાયદારુપ પરિણામ આપી શકે છે.

તાપમાન કંટ્રોલ: કેળાથી શારીરિક અને માનશીક તાપમાન કંટ્રોલમાં રહેછે.થાઈલેન્ડમાં ગર્ભવતી મહીલાઓ કેળા ખાસ ખાય છે કારણકે તે ઈચ્છેછે કે આવનાર બાળકનુ તાપમાન સમતોલ રહે.

ઋતુ પરિવર્તનની બિમારી: (Seasonal Affective Disorder)SAD: ઋતુ પરિવર્તનને કારણે થતી બિમારી મા કેળા ઉપયોગીછે કારણકે કેળામાં મૂડ એનહેનસર કરતુ “ટ્રેપ્ટોફેન” કુદરતી સ્વરુપમાં ઉપ્લબ્ધ છે.

ધુમ્રપાન: જે લોકો ધુમ્રપાન છોડવા માંગતા હોય તેમના માટે કેળા અદભુત રીતે મદદરુપ થઇ શકે કારણકે….કેળામાં વિટામીન B6,B12 ઉપરાંત પોટેસીયમ અને મેંગનેસીયમ પણ છે જે શરિરમાંથી નીકોટીન ઘટાડી વ્યસનમૂક્ત થવામાં ઉપયોગીછે.

માનશીક તાણ: કેળામાંનુ પોટેશીયમ એક શક્તીશાળી મીનરલછે જે હદયના ધબકારાને સમતોલ કરે છે,મગજને પુરતુ ઓક્ષીજન પુરુ પાડેછે અને શરીરમાં પાણી ને સપ્રમાણ કરે છે.જ્યારે આપણે માનશીક રીતે તાણમાં હોયએ ત્યારે શરીરમાં પોટેશીયમનુ લેવલ ધટે છે કેળા શરીરમાં ધટતા પોટેશીયમી પૂર્તી કરે છે.

કેળા ધણીબધી બીમારી અદભુત સારવાર છે.કેળાને સફરજન સાથે સરખાવીયે તો…સફરજન કરતા…ચાર ગણુ પ્રોટીન !, બે ગણુ કાર્બોહાઈડ્રેટ !,ત્રણ ગણુ ફોસ્ફરસ !,પાંચ ગણુ વિટામીન-એ અને લોહતત્વ!,બે ગણા બીજા વિટામીન અને મીનરલ !.ઉપરાંત પૂસ્કળ પ્રમાણમાં પોટેસીયસ અને વળી સસ્તા !!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here