શરદીની ગમે એવી એલર્જી દુર થઇ જશે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

0

અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું  તાજું બનાવેલું ચુર્ણ ઘસવાથી શરદી, છીંકો, શીરઃશુળ અને મસ્તકના કૃમીઓનો નાશ થાય છે.થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નીયમીત પીવાથી  શરદી સારી થઈ જાય છે.

ગરમ જળપાનથી શરીરની ગ્રંથીઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સુતી વખતે, સુતાં પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દરદમાં આરામ થાય છે.

પાણીમાં સુંઠની એક ગાંગડી મુકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું. પાણીમાં નીચેના તળીયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. આ સુંઠી જળ પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ-શ્વાસ, હાંફ, વરાધ, સસણી, ફેફસામાં પાણી ભરાવું, અજીર્ણ-અપચો, કૃમી, ચીકણો ઝાડો-આમદોષ, જળસ, વાળો, બહુમુત્ર (વારંવાર  ખુબ જ પેશાબ કરવા જવું), ડાયાબીટીસ, લો બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડુ રહેવું, મસ્તક પીડા જેવાં કફદોષજન્ય તમામ દર્દોમાં લાભ થાય છે.

ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખુબ ગરમ કરી થોડું પેઈન બામ, નીલગીરીનું તેલ કે કપુર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો.

૧/૪ ચમચી એલચી ચુર્ણ સાથે એક ચમચી મધ મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. મોટી એલચી ગરમ છે. એનાથી કફ, પીત્ત, રક્ત વીકારો, દમ, ચળ, તરસ, મોળ, ઉબકા, અરુચી, અપચો, મુત્રાશયના રોગ, મોઢાના રોગો, માથાના રોગો, શરદી-સળેખમ અને ઉધરસ મટે છે.

સુંઠ નાખી ઉકાળેલું પાણી પીવાથી અથવા પીવાના પાણીમાં સુંઠનો ગાંગડો નાખી લાંબા સમય સુધી એ પાણી પીવાથી જુની શરદી મટે છે. રોજ નવો ગાંગડો મુકવો.

સુંઠ, તજ અને ખડી સાકરનો ઉકાળો પીવાથી શરદી-સળેખમ મટે છે.

૧૦ ગ્રામ સુંઠનું ચુર્ણ, ૧૦ ગ્રામ ગોળ અને એક ચમચી ઘી એકત્ર કરી, થોડું પાણી મેળવી, અગ્ની પર   મુકી રાબડી જેવું કરી રોજ સવારે ચાટવાથી ત્રણ દીવસમાં શરદીઅનેસળેખમ મટે

તજ, મરી અને આદુનો ઉકાળો દરરોજ પીવાથી શરદી મટે છે.

દહીંમાં મરી અને ગોળ મેળવી ખાવાથી શરદી અને સળેખમ મટે છે.

ફુદીનાનો તાજો રસ અથવા અર્ક શરદી  દુર કરે છે.

મધ અને આદુનો રસ ૧-૧ ચમચી એકત્ર કરી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.

લવીંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી શરદી અને ગળાનો સોજો મટે છે.

લીંબુનો રસ રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં પીવાથી શરદી મટે છે. આ પ્રયોગ કેટલાક દીવસ સુધી કરવાથી જીર્ણ સળેખમ-જુની શરદીમાં પણ ફાયદો થાય છે.

વાટેલી રાઈ  મધ સાથે ખાવાથી શરદી મટે છે. રાઈ ખુબ ગરમ હોવાથી પોતાની પ્રકૃતીનો ખ્યાલ કરી એનો ઉપયોગ કરવો.

દરરોજ થોડું ખજુર ખાઈ ઉપર ચાર-પાંચ ઘુટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રુપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ થાય છે અને શરદી-સળેખમ મટે છે. એનાથીલોહી પણ શુદ્ધ થાય છે.

નાગરવેલનાં બે-ચાર કોરાં પાન ચાવી જવાથી શરદી અને સળેખમ મટે છે.

હળદરચુર્ણના ધુમાડાનો નાસ લેવાથી શરદી-સળેખમ તરત જ મટે છે.

સુંઠ, તજ, ફુદીનો, તુલસીનાં પાન એલચી વગેરેના બોરકુટા ચુર્ણના બનાવેલા ઉકાળાથી શરદી મટે છે.

દહીંમાં મરીનું ચુર્ણ અને ગોળ નાખી રોજ ખાવાથી લાંબા સમયની શરદી અને પીનસ રોગ મટે છે. થોડા દીવસ ખોરાક બંધ કરી આ પ્રયોગ કરવો. એકલા દહીં પર રહેવાય તો વધુ સારું.

નવી શરદીમાં ખાટા દહીંમાં ગોળ અને મરીનું ચુર્ણ નાખી ખાવાથી લાભ થાય છે.

એકાદ નાની ચમચી વાટેલી રાઈ મધ સાથે મેળવી દીવસમાં બે-ત્રણ વાર ચાટવાથી બહુ ઠંડી લાગતી નથી.

ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.

ડુંગળીના રસનાં ટીપાં નાકમાં પાડવાથી શરદી-સળેખમ મટે છે.

ભોંયરીંગણીના પંચાંગના ૧૫ ગ્રામ ચુર્ણનો ઉકાળો સવાર-સાંજ પીવાથી દમ અને શરદી બંને સારાં થાય છે.

ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખી પીવાથી સળેખમ મટે છે.

લવીંગના તેલને રુમાલમાં નાખી સુંઘવાથી સળેખમ મટે છે.

ગરમ કરેલા દુધમાં હળદર અને ઘી નાખી પીવાથી સળેખમ, કફ અને ઉધરસ મટે છે.

સમાન ભાગે મેથી અને અળસીનો હુંફાળો ઉકાળો દીવસમાં ૩-૪ વાર પીવાથી હઠીલી શરદી મટે છે.

શરદી અને કફ સારાં થતાં ન હોય તો ખાટી આમલીનાં લીલાં કે સુકાં પાનનો ઉકાળો દીવસમાં ત્રણ વાર એકેક ગ્લાસ હુંફાળો હુંફાળો પીવાથી લાભ થાય છે.

સરસવના તેલમાં રુનું મોટું પુમડું બનાવી બંને નસકોરાંમાં ખોસી ઉંડા શ્વાસ લેતા રહેવાનો પ્રયોગ દીવસમાં ૩-૪ વખત કરતા રહેવાથી હઠીલી જુની શરદી મટે છે.

એલોપથીના ડૉક્ટરોના મતાનુસાર શરદી થાય ત્યારે ખાવું જોઈએ અને બની શકે તો તીખું, જેથી ખાવાની રુચી વધે અને વધુ ખવાય. ખોરાક લેવાથી શક્તી મળી રહે અને રોગ દુર કરવા શક્તી જરુરી છે.

એક દીવસના ઉપવાસથી પણ શરીર નબળું પડે છે. પેરાસીટામોલવાળી દવા ભુખ્યા પેટે કદી ન લેવાય. શરદીમાં કુદરતી ઉપચાર મુજબ ડુંગળી ખાવી ઉત્તમ છે.

જ્યારે કુદરતી ઉપચાર મુજબ શરદી થાય તો એકબે દીવસના ઉપવાસ કરવા જ જોઈએ.દુધ, ઘી, તેલ, છાસ, લીંબુ અને વધુ પડતાં ખાંડ-ગોળ બંધ કરી સવાર-સાંજ પાણી સાથે ત્રીકટુ (સુંઠ, મરી અને લીંડીપીપરનું સમભાગે બનાવેલ ચુર્ણ)ની ફાકી લેવી, અને અજમો અને હળદરની ધુમાડીનો નાસ લેવાથી બંધ થયેલાં નસકોરાં ખુલી જાય છે અને થોડા દીવસમાં શરદી મટે છે.

સુંઠ, ગોળ અને ઘીનો લાડુ કરી રોજ સવારે નરણે કોઠે ખાવાથી શરદી મટી જાય છે.

૧-૧ ચમચી હળદરનું ચુર્ણ દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી એલર્જીને લીધે થતી શરદી મટે છે.

૨૫૦-૨૫૦ ગ્રામ પાકું પપૈયું સવાર-સાંજ નીયમીત ખાવાથી જુની શરદી મટી જાય છે.

દરરોજ અડધો કલાક ઝડપથી ચાલવાથી શરદી સામે રક્ષણ મળે છે.

તજ, મરી અને આદુ સરખા ભાગે અધકચરા કુટી, એક ચમચીનો ઉકાળો સવાર-સાંજ પીવાથી જુની શરદી, સાયનસ મટે છે.શરદીને કારણે માથું દુખતું હોય તો એક કપ દુધમાં હળદર અને કાળા મરીનું ચુર્ણ નાખી ઉકાળો.

આવું દુધ ત્રણ દીવસ સુધી રોજ એક વાર પીઓ.સુંઠ, મરી અને પીપરનું સરખા ભાગે બનાવેલું એક ચમચી જેટલુંચુર્ણ એક ચમચી મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટી જવાથી શરદી-સળેખમ, ઉધરસ, એલર્જી, ગેસ, અરુચી અને અપચાની ફરીયાદ મટે છેશરદી, ફ્લ્યુની ગોળી: સુંઠ, મરી, પીપર(પીપર જેમ વધુ ઘુંટવામાં આવે તેમ વધુ ગુણ કરે)  અને હરડે દરેકનું બારીક તાજું ચુર્ણ ૧૦-૧૦ ગ્રામ અને ગોળ ૮૦ ગ્રામ બધાંને સારી રીતે એકત્ર કરી ઘુંટી ૨-૨ ગ્રામની ગોળી વાળી ઘરમાં છાંયડે જ સુકવવી.

શરદી કે ફ્લ્યુની અસર જણાતાં સવાર-સાંજ એક-એક ગોળી મોંમાં મુકી રાખી પોતાની મેળે ઓગળવા દેવી. માત્ર ત્રણ-ચાર દીવસમાં જ સ્પષ્ટ ફેર માલમ પડશે. સાથે જરુરી પરેજી પાળવી, જેમ કે વધુ પડતાં ખાંડ- ઘીવાળો, તળેલો, પચવામાં ભારે આહાર ન લેવો, માત્ર સુપાચ્ય હળવો ખોરાક લેવો. બને ત્યાં સુધી શક્તી

મુજબ બેત્રણ કીલોમીટર દરરોજ ચાલવું, વગેરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here