બાવળનો ગુંદર ડાયાબીટીસ માથાનો દુખાવો, કમર દર્દ, ખાંસી જેવા અનેક રોગો માટે લાભકારી છે વાંચો અને શેર કરો

0

આ કાંટાળો બાવળ ખરેખર ખુબ “કામ” ની ચીજ છે.આ બાવળના ફાયદા ગણ્યા ગણાંય નંહી અને વિણ્યા વિણાય નંહી એટલા છે. તેમાંના થોડાઆ રહ્યા…

૧.દાંત ના રોગોમાં અકસીર છે. પાયોરીયા હોય કે પછી દાંત દુખતા હોય આ બાવળના પૈઇડા ને ચાવી જાવ દુખાવો ગાયબ. અને સુકા પૈઇડા માંથી ચુર્ણ બનાવીને ડબ્બી ભરીરાખો અને કરો દંત મંજન રોજ.

૨. ગુટખા ખાવાથી સાંકડુ થઇ ગયેલુ મોઢુ પણ આ બાવળના પૈઇડા ખોલી આપે છે ફકત પૈઇડા ને ગુટખાની જેમજ દીવસમાં સાત વાર દર કલાકે ચાવીને મોઢામાં તેના રસને મોં માં ભરી ને મોઢાની અંદર જ મમળાવવો. ૪૫ દિવસ માં આખો લાડુ ખાઇ શકાય તેટલી મોં ફાડ પહોળી થઇ જશે.

૩.ડાયાબીટીસ આવે ઍટલે તેના ભાઇબંધ નપુંસકતાને સાથે લઇને આવે. આ ડાયાબીટીસ અને નપંસકતા બંનેને આ બાવળ એક સાથે દુર કરે છે.


૪. ઘા વાગ્યો હોય તો લગાવી દો આ ની લુગદી લોહી વહેતુ તુરંત બંધ….

૫.બહેનોને માસીકને લગતા પ્રોબ્લેમ જેમેકે વધુ પડતુ બ્લીડીંગ પણ આ બાવળના પૈઇડા અને ગુંદર અટકાવે છે. ઉપરાંત શ્વેતપ્રદરમાં પણ રાહત આપે છે.

૬.નપુસંકતા અને તેને રીલેટેડ પુરુષોના પ્રોબ્લેમનુ પણ સોલ્યુશન આ પૈઇડા અને બાવળનો અર્ક છે. સુતરનું કપડું લાવી નેતેને લાકડાની ફ્રેમ પર ટાઈટ બંધી તેના ઉપર બાવળ ના કુણા પૈઇડા ઘસવા તેનોરસ થઇ કપડું તર (બરાબર ) ભીજાય જાય ત્યારે સુકાઈ જાય ત્યારે ,,, સાચવી રાખવું,, જરૂરપડે ત્યારે તેમાંથી ચીથારું ફાડી દૂધ માં ઉકાળી ગાળી ઉપયોગ માંલેવું ,,,,,,ધાતુ માટે ખુબજ ઉપયોગી છે.

૭. ગળાનું ઇન્ફેકશન થયુ હોય તો કોગળા કરો આ પૈઇડા ના ચુર્ણના..

૮. સ્કીન ડીસીઝ હોય કે ખરજવા જેવુ હોય તો તેમાં પણ આ બાવળનો ગુંદર સારુ કામ આપે છે.

૯.અસ્થમા,શરદી કે કફ હોય તેમાં પણ આ ચીજ રામબાણ છે.

૧૦.ઝાડા થયા હોય કે મરડો તેમાં પણ ગુણકારી છે આ કાંટાળો બાવળ.


૧૧.આંખ ઉઠી હોય તો પાનની લુગદી બનાવીને આંખ ઉપર રાખી મુકો ગમે તેવોકંજક્ટીવાઇટીસ હોય તો પણ એક દિવસ માં રાહત.

૧૨. વાળ નો પ્રોબ્લેમ હોય તો કરો હેર વોશ વાળ ખરતા બંધ થઇ જશે.

૧૩. તાવમાં પણ કામની વસ્તુ છે.

૧૪. અને હા મોટી ઉમરે થતો અલ્ઝાઇમરનો રોગ ત્રાસદાયક હોય છે. હાર્ડ ડીસ્ક કોરી થઇ જાય છે. આ રોગમાં પણ ખુબ રાહત આપે છે આ બાવળ.

બાવળ : બાવળની પત્તી ઝીણી અને સ્વાદમાં તુરી હોય છે. ફુલ નાની દડી જેવાં, લાંબી રુંવાટીવાળાં, પીળાં અને સહેજ સુગંધીવાળાં હોય છે. તેની શીંગને બાવળના પડીયા કે પૈડા કહે છે. તેના વૃક્ષમાંથી સફેદ કે સહેજ રતાશવાળો  ગુંદર નીકળે છે, જે કમરના દુખાવામાં અને વસાણામાં વપરાય છે.

(૧) સગર્ભા મહીલા બાવળનાં સુકાં કે લીલાં પાન ચાવીને ખાય તો માબાપ બંને શ્યામ હોય તો પણ બાળક ગોરું અને રુપાળું આવે છે.(૨) બાવળનો ગુંદર વાનો રોગ મટાડે છે, મહીલાઓને શક્તી આપે છે અને પ્રદરનો રોગ મટાડે છે.(૩)… બાવળના પડીયાનું ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર ખાવાથી કે ઘા, ચાંદા કે દુઝતા હરસ પર લગાડવાથી વહેતું લોહી અટકે છે.

(૪) મોંઢામાં અવાર નવાર ચાંદાં પડતાં હોય,દાંતના પેઢાં મસુડાં ફુલી જતાં હોય, મોંમાંથી વાસ આવતી હોય, દાંત હાલતા હોય અને લોહી નીકળતું હોય, ગળું લાલ રહેતું હોય, મોંમાં ચીકાશ રહેતી હોય, ઉંઘમાં મોંમાંથી લાળ પડતી હોય તો સવાર-સાંજ બાવળનાં પાન અને છાલનો ઉકાળો કરી કોગળા કરવાથી લાભ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here