આરોગ્ય સારુ રાખવા માંગતા હોય તો વાંચી લો આરોગ્યના સૂત્રો….

0

આરોથના સુત્રો .

જે ખાય ભાજી , તેની તબિયત તાજી .

જે ખાય મગ , તેના જોરમાં ચાલે પગ .

તુલસીના પાન , દિલમાં લાવે જાન .

શિયાળામાં તલ , શરીર કરે ખડતલ .

અળવીના પાન , સુંદર બનાવે વાન .

ચહાને બદલે ચણા , તો જીવે ઘણા .

ખાંડના બદલે ગોળ , તો હાથમાં આવે જોર ,

ડી બ્રેડ અને પાઉં , તબિયત કરે ચાઉં .

ભેળપુરી , ભાજીપાઉં , તબિયત કરે ચાઉં આને બદલે રાબ , તો વધે રુઆબ .

જો ખાય વાસી ભજિયા , તો પેટમાં થાય કજિયા .

રોટલા , કોળ , ફળ ને ભાજી , રોજ ખાનારની તબિયત તાજી

તાજી મીઠી મોળી છાશ , ભોજન અંતે પીજો ખાસ .

મહેનત કરીને હકનું ખાય , તેને કદી રોગ થાય .

જેનો બગડ્યો ઝાડો , તેનો બગડ્યો દહાડો .

જળ , માટી ને ખુલ્લી હવા , કુદરતની એ ઉત્તમ દવા .

હરડે , બહેડા , આમળા ને ચોથી ચીજ ગળો , તેનું સેવન જે કરે , વ્યાધિ તેની ટળો .

ડાબે પડખે લેટવું , જમ્યા પછી ઘડીવાર , અને દિવસે ના ઊંઘશો ,

જમો ન વારંવાર . 1 મેંદા બેસનનું ફરસાણ , પેટમાં કરે ધમસાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here