કિડનીમાં થયેલ પથરીને મૂળમાંથી કાઠવાના ઘરગથ્થું ઉપાય વાંચો અને શેર કરો

0

કિડનીમાં થયેલ પથરીના  કારણો અને પથરીના પ્રકારો ત્યાં ચાર પ્રકારનાં પથરી છે: જેના આધારે તેને જાણ્યા વગર ગણવામાં આવે છે તે શોધવાનું મુશ્કેલ છે  1 वात से होने वाली पथरी 2. पित्त से होने वाली पथरी 3. कफ से होने वाली पथरी 4. शुक्र धातु अर्थात वीर्य से होने वाली पथरी

1 કેલ્શિયમ ની પથરી (calcium stones) :- આ પ્રકાર ની પથરી સૌથી વધુ (આશરે ૭૦-૮૦%) પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. કેલ્શિયમ ની પથરી બનવાનું કારણ વધુ દર્દીઓમાં કેલ્શિયમ ઓક્ઝલેટ અને ઓછા દર્દીઓમાં કેલ્શિયમ ફોસફેટ છે.

2 સ્ટૃવાઈટ પથરી (struvite stones) :- સ્ટૃવાઈટ (મેગ્નેશિયમ એમોન્યમ ફોસ્ફેટ) પથરી   આશરે ૧૦-૧૫% પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. આ પ્રકાર ની પથરી પેશાબ અને કિડની માં ચેપ નું કારણ બને છે. આ પ્રેકારની પથરી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

3 યુરિક એસીડ ની પથરી (uric acid stones). યુરિક એસીડ ની પથરી ખુબ ઓછા (આશરે ૫-૧૦%) પથરી ના દર્દીઓમાં જોવામળે છે. પેશાબ માં યુરિક એસીડ નું પ્રમાણ વધુ હોય અને પેશાબ સતત એસીડીક હોય ત્યારે આ પ્રકારની પથરી થવાનું જોખમ રહે છે. – ગાઉટ(gout), માંસાહારી ખોરાક, શરીર માં  ઓછી માત્રા માં પ્રવાહી અને કેન્સર માટે ની કેટલીક દવાઓ (chemotherapy) બાદ આ પ્રકાર ની પથરી થવાનું જોખમ વધારે રહે છે. યુરિક એસીડ ની પથરી પારદર્શક હોવાથી એક્સ-રે ની તપાસ માં દેખાતી નથી.

4 સીસ્ટીન પથરી (cystine stones) :- આ પ્રકાર ની પથરી ખુબજ ઓછા પ્રમાણ માં અને અમુક વારસાગત સીસ્ટીન્યુંરિયા વાળા દર્દીઓમાં જ જોવા મળે છે. પેશાબ માં વધુ પ્રમાણ માં સીસ્ટીન (cystine) ને સીસ્ટીન્યુંરિયા કહેવાય છે.

પથરી કેવડી હોય છે ? તે કેવી દેખાય ? તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે ?

મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી મોટી પણ હોય શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુઃખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ વાટે બહાર નીકળી શકે છે. પેટના દુઃખાવા સાથે લાલ પેશાબ આવવાનું મુખ્ય કારણ પથરી છે. અમુક પથરી ખરબચડી હોય છે, અસહ્ય દુઃખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી. પથરી મુખ્યત્વે કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં અને ક્યારેક મૂત્રનળીમાં પણ જોવા મળે છે. શા માટે પથરી અમુક વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે છે ? પથરી થાવાનાં મુખ્ય કારણો ક્યાં છે? મોટા ભાગના લોકોમાં પેશાબમાંનાં ખાસ જાતનાં રસાયણો ક્ષારનાકણોને ભેગા થતા અટકાવે છે,જેથી પથરી બનતી નથી. અમુક લોકોમાં નીચેનાં કારણોને લીધે પથરી થવાની શક્યતા રહે છે :

  • ઓછું પાણી પીવાની ટેવ
  • વારસાગત પથરી થવાની તાસીર
  • ખોરાક: માંસાહારી (વધુ પ્રોટીન ધરાવતો) ખોરાક, ખોરાકમાં નમક (salt) અને ઓક્ષલેટ નું વધુ પ્રમાણ અને ખોરાક માં ફળો અને પોટેશિયમ નું ઓછુ પ્રમાણ.
  • પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતા ઘણુંજ વધારે પુરૂષોમાં જોવા મળે છે. કિડની ની પથરી હોય તેવાં દર્દીઓમાંના ૭૫% અને મૂત્રાશય ની પથરી હોય તેવા દર્દીઓમાંના ૯૫% પુરૂષો હોય છે.
  • લાંબો સમય પથારી વશ રહેવું
  • જે વ્યક્તઓ ખુબ ગરમ કે ભેજવાળા વાતાવરણ માં રહેતા હોય
  • વારંવાર મુત્રમાર્ગનો ચેપ
  • મૂત્રમાર્ગમાં અવરોધ
  • ખોરાકમાં વિટામીન સી કે કેલ્શિયમ નુ અત્યંત વધારે પ્રમાણ
  • હાઈપર પેરાથારોઈડિઝમની તકલીફ
  • દુઃખાવો ન કરતી પથરીને કારણે કિડની બગડવાનો ભય વધારે રહે છે.

પથરીના દુઃખાવાની લાક્ષણિકતા: દુઃખાવાની તીવ્રતા અને દુઃખાવો નો પ્રકાર જુદી-જુદી વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે. મોટી પથરી વધુ દુઃખાવો કરે એ માન્યતા ખોટી છે. પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યા પ્રકારની છે તેના પર આધાર રાખે છે. પથરીનો દુઃખાવો એકાએક શરૂ થાય છે. આ દુઃખાવો ધોળા દિવસે તારા દેખાડી દે તેવો સખત અને અસહ્ય હોય છે. મોટી અને લીસી પથરી કરતા નાની પણ ખરબચડી પથરી વધુ તીવ્ર દુઃખાવો કરે છે. પથરી સામાન્ય રીતે કિડની અને મૂત્રવાહિની મા જોવા મળે છે. કિડનીની પથરીનો દુઃખાવો કમરમાંથી શરૂ થઈ આગળ નીચે પેડુ તરફ આવે છે. મૂત્રાશયની પથરીનો દુઃખાવો પેડુમાં અને પેશાબની જગ્યાએ થાય છે. આ દુઃખાવો સામાન્ય રીતે કલાકો સુધી ચાલે છે અને પછી ધીમે ધટી જાય છે. મોટા ભાગે આ દુઃખાવો અત્યંત વધારે હોવાથી દર્દી ડોક્ટર પાસે દોડી જાય છે અને દુઃખાવો ધટાડવા દવા કે ઈન્જેકશનની જરૂર પડે છે.

પથરીનાં લક્ષણો : પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે. સામાન્ય રીતે પથરીની બીમારી ૩૦ થી ૪૦ વર્ષની ઉંમર દરમ્યાન અને સ્ત્રી કરતા પુરુષોમાં ત્રણથી ચાર કરતાં ગણી વધારે જોવા મળે છે. ઘણીવખત પથરીનું નિદાન આકસ્મિક રીતે થાય છે. જે પથરીનાં કોઈ ચિહનો હોતાં નથી, તેને Silent Stone કહે છે. પીઠમાં અને પેટમાં સતત દુઃખાવો થાય. ઊલટી-ઊબકા થાય. પેશાબમાં લોહી જાય. પેશાબ કરતી વખતે દુઃખાવો અથવા બળતરા થાય જો પથરી મુત્રનલીકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય. પેશાબ માં પથરી નીકળવી. અમુક દર્દીઓમાં પથરી ના લીધે વારંવાર મૂત્રમાર્ગ માં ચેપ અને પેશાબ માં અવરોધ ના કારણે કિડની ને સામાન્ય થી લઈ ને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. પેશાબમાં બળતરા થાય. પેશાબમાં વારંવાર ચેપ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here