આ રીતે ખાશો મગફળી તો દુર ભાગશે કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગની બીમારી

0

આ રીતે ખાશો મગફળી તો દુર ભાગશે કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગની બીમારી મગફળી અને તેની બનાવટો ખાવાનું લોકો શરૂ કરી દેતા હોય છે. મગફળીને સસ્‍તા કાજુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેના સ્‍વાસ્‍થ્‍યલક્ષી અનેક ફાયદા પણ છે. મગફળી અનેક રીતે ઉપયોગી છે. તેનું તેલ સ્‍વાદમાં ઉમદા છે. જયારે સ્‍વાસ્‍થ્‍ય માટે ખુબ ઉમદા છે મગફળી આપણે ત્‍યા દરેક ખાવામાં વપરાય છેત્‍યારે તેના સ્‍વાસ્‍થ્‍યથી ફાયદા અને તમને અહી બનાવી રહ્યા છીએ. રક્તવાહિનીઓ ખુલ્લી અને ફ્લેક્સિબલ રહે છે તમારા હાર્ટને તંદુરસ્ત રાખવા માંગો છો તો મુઠ્ઠીભર સિંગદાણા ખાઓ રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવા માટે ઊંચી જાતના અને મોંઘા ડ્રાયફ્રુટસ જ ખાવા જરૂરી નથી, રોજ સિંગદાણા ખાશો તોય ચાલશે જે બદામ જેવું જ કામ કરશે . આમ તો સિંગદાણા વિશે ઘણી ખોટી માન્યતાઓ છે એનાથી એલર્જી થઇ શકે છે , પચવામાં ભારે છે અને એનાથી વાયુ થાય છે . જો કે અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે , હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું હોય તો સિંગદાણા ખાવાથી ફાયદો થાય છે અને રક્તવાહિનીઓ ખુલ્લી અને ફલેક્સિબલ રહે છે. લગભગ ૮૫ ગ્રામ સિંગદાણા ભોજનની સાથે લેવાથી લોહીમાં રહેલી હાનિકારક ફેટ ઘટે છે. અમેરિકાની એક ઈન્સ્ટિટયૂટે કરેલા અભ્યાસમાં સિંગદાણાને ક્રશ કરીને એને લિક્વિટી ફોર્મમાં લેવાથી વધુ ફાયદો થતો હોવાનું જણાવવામાં આવ્યું તેમજ રકતવાહિનીઓમાં ચરબી અને કોલેસ્ટરોલ જમા થવાને કારણે થતી એથેરોસ્કલેરોસિસ નામની સમસ્યાને કારણે નળીઓમાં લોહીનો પ્રવાહી અવરોધાય છે જેને કારણે લોહીને પૂરા શરીરમાં પહોંચાડવા માટે હૃદયને વધુ પમ્પિંગ કરવું પડે છે .જો ૮૫ ગ્રામ સિંગદાણા ખાવામાં આવે તો એનાથી થોડાક સમય માટે ટ્રાઈલિસેરોઇસ પ્રકારની ખરાબ ફેટ વધે છે, પણ ત્યારબાદ એક્સરસાઈઝ કરવામાં આવે તો એ નીકળી જાય છે આમ હ્રદય રોગ માટે મગફળી ઉત્તમ માનવામાં આવે છે.

૧ મગફળીનો ખાસ ગુણ એ છે કે તે શરીરમાંથી ખરાબ કોલેસ્‍ટ્રોલ કાઢે છે અને સારા કોલેસ્‍ટ્રોલને વધારે છે. તેમાં મોનો અનસેચ્‍યુરેટેડ ફેટી અસિડ ખાસ પ્રકારનું ઓઇલ એસીડ છે. જેનાથી હૃદયલક્ષી બિમારી અને માત કરી શકાય છે. ર મગફળી પ્રોટીનનો એક સ્ત્રોત છે. તેમાં આવતા એમોનિયમ એસિડ શરીરના ગ્રોથ માટે ખુબજ સારો છે અને બાળકો માટે તે લાભદાયી પણ છે. ૩ મગફળીમાં માત્રામાં પોલીફેનોલિક એન્‍ટીએકસીડેન્‍ટ અને કોમેરિક અસીડ હોય છે.જે પેટના કેન્સરની સંભાવનાને માત આપે છે.

૪ મગફળી એન્‍ટીઓકસીન્ટ ખુબ જ માત્રામાં છે.જે મગફળીને બાફવાથી વધારે સક્રિય બને છે તેમાં રહેલા બાયોચાનિનએ બે ગણો અને જોનિસ્‍ટઇન ચાર ગણો વધી જાય છે. જેનાથી શરીરની અંદરનો ભાગ સાફ થાય છે. પ. મગફળીને સસ્તા કાજુ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે કાજુની જેમ સફેદ છે તેથી કાજુની જગ્‍યાએ તેનો ઘણી વસ્‍તુઓ બનાવવામાં ઉપયોગ કરી શકાય છ.ે તેમાં બદામની જેમ વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે તે ત્‍વચાને સારી બનાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે. ૬. તેમાં પોટેશિયમ મેગેનીઝ, કોપ, કેલ્‍યિમ, આયર્ન સેલેનિયમ અને ઝીંક જેવા તત્‍વો છે જે શરીરના વિવિધ કંઠશન માટેખૂબજ ઉપયોગી છે. મહિલાઓએ વજન વધારવા માટે અઠવાડીયામાં બે વખત મગફળી ખાવી જોઇએ.

૭. મગફળીને પ્રેગ્નસી પહેલેથી એટલે કે શરૂઆતથી ખાવી જોઇએ જે બાળકમાં થઇ શકે તેવી ન્‍યુરલ અને ટયુમ ડિફેકટની સમસ્‍યાઓને ૭૦ ટકા ઘટાડે છે. ૮. મગફળીમાં આવતા મેગ્નેશિયમથી કેલ્‍શ્‍યિમ ફેટસ અને કાર્બોઇડસ શરીરમાં ભળી જાય છે. જે લોહીમાં શુગરનું પ્રમાણ નિયત્રિત કરે છે. ૯. મગફળીના ગુણોમાં કેનિક ત્‍વચા સંબધિત બીમારીઓ અને ઇગ્‍મીજા અને સોરાયસીસ જેવી બીમરીઓમાં પણ ઘણ ખરે અંશે રાહત આપે છે. તેમાં જોવા મળતા કેટી એસીડ સોજા અને ચામડીની લાલાશને પણ ઓછી કરે છે. ૧૦. મગફળીમાં જોવા મળતા વિટામિન ઝિંક અને મેગ્નેશીયમ ત્‍વચા સુંદર અને ચમકલી બનાવે છે. અને બેકટેરિયાથી ત્‍વચાને રક્ષણ આપે છે. ૧૧. મગફળી વધતી ઉમર, ત્‍વચામાં કિકાસ જેવી સમસ્‍યાઓ સામે લડવામાં મદદ કરે છે.ત્‍વચા, વાળ અને શરીરની અંદરના દરેક ઓર્ગન માટે લાભદાયી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here