શરીરમાં નબળાઇ આવી જાય છે તો સ્ફૂર્તિ લાવવા અને સ્મરણશક્તિ વધારવા કરો ઉપચાર

0

સ્ફુતિ માટે કોઈ ખાસ પ્રસંગ માટે જેમ કે કોઈ રમતની સ્પર્ધા હોય ત્યારે શરીરમાં સ્કુર્તીની જરુર હોય તો બે દીવસ પહેલાંની સાંજે વીટામીન ‘ સી ’ અને પીપરમીન્ટ ટી મધ , મોલાસીસ કે ગોળ સાથે લેવી . બીજે દીવસે સવારે ઓરેન્જ અને લીંબુનો રસ પાણી સાથે અથવા એકલા લીંબુનું શરબત મધ , મોલાસીસ કે ગોળ નાખીને તથા વીટામીન ‘ સી ’ લેવું .

એકબે માઈલ ચાલવું . સવારે ભુખ હોય તો અનુકુળ હોય તે મુજબ માત્ર તાજો રસ કાઢીને પીવો , જેમાં ગાજર અને સફરજન અથવા ગાજર , સફરજન અને બીટરૂટ અથવા સફરજન અને સેલરી લઈ શકાય . વધુ ભુખ હોય તો એકબે સફરજન ખાવાં . બપોરે સફરજન અને મોસંબીનો રસ અથવા વીવીધ શાકભાજીનું કચુંબર , ફણગાવેલાં કઠોળ , થોડું ઑલીવ ઑઈલ અને લીંબુ તથા વીટામીન ‘ સી ’ લેવું .

બપોર પછી ફળ , શાકભાજીનો રસ અથવા હર્બલ ટી પીવી . સાંજે થોડા પ્રમાણમાં કચુંબર અથવા બાફેલા શાકભાજી લો . રાત્રે સુતાં પહેલાં કેમોમાઈલ ટી પીઓ . આ પ્રયોગ જ્યારે કોઈ પ્રતીયોગીતામાં ભાગ લેવો હોય કે શારીરીક હુર્તીની જરુરીયાતનું કામ હોય તેના એક દીવસ પહેલાં કરવો .

સ્મરણ શક્તી ( ૧ ) ડુંગળી ખાવાથી કંઠ – ગળું અને મોં ચીકાશ વગરનું બની સાફ થાય છે , અને નીર્બળ બનેલા સ્નાયુઓ મજબુત થાય છે . આથી સ્મરણ શક્તી પણ વધે છે . ( ૨ ) ઈંડાંનું કોલેસ્ટરોલ વૃદ્ધોની સ્મૃતીને લાભકારક હોય છે , એવું બર્કલેની કેલીફોર્નીયા યુનીવર્સીટીમાં શ્રી . સીગરે કરેલા સંશોધને પુરવાર કર્યું છે . બીજા શબ્દોમાં કહીએ તો વૃદ્ધોના શરીરમાં રહેલ કૉલેસ્ટરોલ તેમની સ્મરણ શક્તી જાળવવા માટે સક્ષમ ન હતું , પરંતુ આહારમાં ઈંડાં લઈ શરીરમાં ઉમેરેલું કોલેસ્ટરોલ એ માટે સક્ષમ હતું . સ્વપ્ન બીહામણાં દરરોજ રાત્રે સુતી વખતે બ્રાહ્મીનું ચુર્ણ દુધ સાથે લેવાથી બીહામણાં – અમંગળ સ્વપ્ન આવતાં અટકે છે . બ્રાહ્મીનું ચુર્ણ બજારમાં મળે છે .

સ્વપ્નદોષ ( ૧ ) શરીરની ખોટી ગરમીને કારણે જો સ્વપ્નદોષ થતો હોય તો રાત્રે સુતી વખતે ઠંડા પાણીથી સ્નાન કરવું , અગર હાથ , પગ અને માથું ઠંડા પાણીથી ધોઈને સુવું . રાત્રે ખોટા ઉજાગરા કદી ન કરવા . મોડામાં મોડું રાત્રે ૧૦ વાગ્યે સુઈ જવું , મનમાં ખોટા વીચારો ન કરવા અને સાદો ખોરાક ખાવો . એક કપ દુધ ગરમ કરી પછી તેમાં ૧ નાની ચમચી હળદર મેળવી સવાર – સાંજ પીવાથી સ્વપ્નદોષની ફરીયાદ મટે છે . ( ૨ ) જેઠીમધનું ચુર્ણ સવાર – સાંજ મધ સાથે લેવાથી સ્વપ્નદોષની ફરીયાદ મટે છે .

સ્વાદહીનતા ( ૧ ) કાળા મરી અને ફુદીનાની ચટણી બનાવીને ખાવાથી મોંમાં કોઈ સ્વાદ આવતો ન હોય તેમાં લાભ થાય છે . ( ૨ ) લીંડીપીપર , ચવક , સુંઠ , પીપરીમૂળ અને ચીત્રકનું ચુર્ણ ૧-૧ નાની ચમચી જમ્યા પહેલાં પાણી સાથે લેવાથી મોંનો સ્વાદ સાવ બગડી ગયો હોય તો તે સુધરી જાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here