હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં થતા અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

(1) હાડકાઓને પહોચાડે છે ફાયદો : રોજ હળદરવાળું દૂધ લેવાથી શરીરમાં જરૂરી પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. હાડકા સ્વસ્થ અને મજબુત બને છે. તે ઓસ્ટ્રીયોપેરેસીસ ના દર્દીઓ ને રાહત આપે છે.

(2) ગઠીયા દુર કરવામાં છે ઉપયોગી : હળદરવાળા દુધને ગઠીયા ના ઉપચારમાં અને રીયુમેટાઇડ ગઠીયા ને કારણે સોજાના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે.

(3) તે, આ સાંધા અને પેશીઓ ને લચીલી બનાવીને દુઃખાવો ઓછો કરવામાં પણ ઉપયોગી બને છે.

(4) કીમોથેરોપીની ખરાબ અસરને ઓછી કરે છે : એક શોધ પ્રમાણે, હળદરમાં રહેલા તત્વ કેન્સર કોશિકાઓ થી ડીએનએ થી થતા નુકશાનને રોકે છે અને કીમોથેરોપીની ખરાબ અસરને ઓછી કરે છે.

(5) કાનના દર્દમાં આરામ મળે છે : હળદરવાળા દૂધનું સેવન કરવાથી કાનના દર્દ જેવી ઘણી તકલીફોમાં રાહત મળે છે. તેનાથી શરીરનો લોહીનો સંચાર વધી જાય છે. જેનાથી દર્દમાં ઝડપથી આરામ મળે છે.

(6) ટોક્સીન્સ દુર કરે છે : આયુર્વેદમાં હળદરવાળા દુધનો ઉપયોગ શોધન ક્રિયામાં કરવામાં આવે છે. તે લોહીના ટોક્સીન્સને દુર કરે છે અને લીવરને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ માં આરામ માટે તેનું સેવન ફાયદાકારક છે.

(7) બ્લડ સરક્યુંલેશન ઠીક કરે છે : આયુર્વેદ મુજબ હળદરને બ્લડ પ્યુરીફાયર માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ સરક્યુંલેશનને મજબુત કરે છે. તે લોહીને પાતળું કરનારું અને લીમ્ફ તંત્ર અને લોહી વાહીનીઓ ની ગંદકી સાફ કરનારું હોય છે.

(8) મોટાપો ઘટાડો : રોજ એક ગ્લાસ દૂધ અડધી ચમચી હળદર ભેળવીને લેવાથી શરીર સુડોળ થઇ જાય છે. ખાસ કરીને હુફાળા દૂધ સાથે હળદરના સેવનથી શરીરમાં જમા ફેટ્સ ઘટે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને બીજા તત્વો શરીર માટે ફાયદાકારક બનીને વજન ઓછું કરવામાં મદદગાર બને છે.

(7) ચહેરો ચમકાવવામાં મદદગાર : રોજ હળદરવાળું દૂધ પીવાથી ચહેરો ચમકવા લાગે છે રૂ ના પૂમડા ને હળદર વાળા દુધમાં પલાળી તે દુધને ચહેરા ઉપર લગાવો. તેનાથી ત્વચાની લાલી અને ચકતા ઓછા થશે. સાથે જ ચહેરા ઉપર તેજ અને ચમક આવશે.

(9) સ્કીન પ્રોબલેમમાં છે રામબાણ : હળદરવાળું દૂધ સ્કીન પ્રોબ્લેમમાં પણ રામબાણ નું કામ કરે છે.

(10) અલ્સર ઠીક કરે છે : તે એક શક્તિશાળી એન્ટી સેફટીક હોય છે અને આંતરડાને સ્વસ્થ બનાવવાની સાથે સાથે પેટ અને અલ્સર અને કોલાઇટીસ ના ઉપચાર કરે છે. તેનાથી પાચન સારું થાય છે અને અલ્સર, ડાયરિયા અને અપચો નથી થતો.

(11) લીવરને મજબુત બનાવે છે : હળદરવાળું દૂધ લીવરને મજબુત બનાવે છે. તે લીવર સાથે જોડાયેલ બીમારીઓથી શરીરની રક્ષા કરે છે અને લીમ્ફ તંત્ર ને સાફ કરે છે.

(12) મહાવારીમાં થતા દર્દમાં રાહત આપે છે: હળદરવાળું દૂધ માહવારીમાં થતા દર્દમાં રાહત આપે છે. ગર્ભવતી મહિલાઓને આ સુનહરું દુધનો સરળ પ્રસવ, પ્રસવ પછી સુધાર, સારું દૂધ ઉત્પાદન અને શરીરને સામાન્ય કરવામાં હળદર વાળું દૂધ લેવું જોઈએ.

(13) શરદી ખાંસી માં રામબાણ : હળદરવાળા દૂધ ના એન્ટીબાયોટીક ગુણને લીધે શરદી ખાસીમાં તે એક ખાસ દવાનું કામ કરે છે. હળદરવાળા દૂધ મુક્ત રેડીક્લસ સામે લડવાવાળી એન્ટી ઓક્સાઈડનો સારો સ્ત્રોત છે. તેનાથી ઘણી બીમારીઓ ઠીક થઇ શકે છે.

(14) પેશાબમાં થતી બળતરા માટે પણ હળદરવાળું દૂધ ખૂબ ઉપયોગ કારક છે.

(15) જે લોકો અઠવાડીયામાં એક વખત હળદરના દૂધનું સેવન કરતા હોય છે એને કમળો ક્યારેય થતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here