શરીરમાં ઓક્સિજન લેવલ વધારવા રોજ આના બે પાનનું સેવન કરો

0

છાતીમાં દુખાવા સાથે ઉદરસ થતી હોય તેવા સમયમાં પીપળાના પાંદડાનું સેવન કરવું તે લાભદાયી છે .

આયુર્વેદ સાથે સંકળાયેલા સલાહકાર કોરોનાની હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં પુરુતુ ઓક્સિજન મળી રહે તે માટે નવા- નવા નુસ્કાને ઉપયોગમાં લેવા માટે કહેતા હોય છે . સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . ત્યારે કોરોનાથી બચવા માટે લોકો ઘરમાં રહીને નુસ્કાનો ઉપયોગ કરે છે .

જો તમે પણ આ નુસ્કાઓને ઉપયોગ કરશે તો તમારી તબિયત પણ રહેશે સારી . આયુર્વેદના અનુસાર દિવસમાં દરરોજ બે પીપળાના પાંદડાનું સેવન કરવાથી શરીરના ઓક્સિજનના સ્તરમાં થશે વધારો . પીપળના પાંદડામાંમોઈશ્ચર કંટેટ , કાર્બોહાયડ્રેટ , પ્રોટીન , ફેટ ,ફાયબર , કેલ્શિયમ , આર્યન , કોપર , અને મેગ્નેશિયન જેવા તત્વોનો સમાવેશ કરાયો છે . ફેફસામાં તમને સોજો અને તણાવ જેવું લાગતું હોય , શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય , છાતીમાં દુખાવા સાથે ઉદરસ થતી હોય તેવા સમયમાં પીપળાના પાંદડાનું સેવન કરવું તે તમારી તંદુરસ્ત માટે લાભદાયી છે . દરરોજ પાંદડાનું સેવન કરવાથી તમને આરામ મળશે . પીપળાના પાંદડા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે . કોરોના મહામારીના સમયગાળામાં જો તમારૂ ઈમ્યુનિટી સિસ્ટમ સારી હશે તો તમને કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થશે .

પીપળાના પાંદડા સાથે ગળોનું મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ અને દિવસમાં ૪ વખત કરવું જોઈએ . વધુ દારૂનું સેવન કરવાથી તમારા લીવર પર તેની અસર પડી શકે છે . આવા સમયમાં લીવરને તંદુરસ્ત રાખવા માટે પીપળાનું સેવન કરવું તે જરૂરી છે . જેથી લીવર ખરાબ થયાથી બચવા થઈ શકે છે . લીવરની બિમારી વાળા લોકોને ડોક્ટર દરરોજ પીપળો લેવા માટેની સલાહ આપે છે . જો તમને કફની સમસ્યા હોય તે ટેન્શન ન લેતા પીપળાના પાંદડા તમારા માટે એક સારો વિકલ્પ છે . જેથી તમને કફથી જલ્દીથી રાહત મળી જશે . પીપળાના પાંદડાનું સૂપ બનાવીને પીવાથી કફ જળમૂળથી તેનો નાશ થઈ જશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here