શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને દુર કરવા દવા કરતા આ વસ્તુનું સેવન કરો

0

શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આટલી કાળજી રાખો અને કરો આ વસ્તુનું સેવન

જે પોતાની જીવન શૈલીમાં પરિવર્તન નથી કરી શકતી કે જેમની નોકરી જ આ પ્રકારની છે કે તેઓ ઈચ્છવા છતા પણ નિયમિત કસરત નથી કરી શકતા. તેણે પોતાના ખાવા-પીવામાં થોડો પરિવર્તન કરવો જોઈએ.  આજ કાલ મેંદાની બનેલ વસ્તુનો ઉપયોગ ક્ગુબ વધી ગયું છે દરેક વસ્તુ મેંદાની બને છે તેમજ બ્રેડનો પણ વધુ પડતો ઉપયોગ થાય છે જો મેંદાના બદલે બીજો ખોરાક ખાવાનું શરુ કરશો તો રક્તમાં કોલેસ્ટ્રોલની માત્રાને ઘણી  નિયંત્રિત કરી શકાય છે. ખરાબ કોલેસ્ટ્રોલને કેવી રીતે ઓળખશો: ખરાબ કોલેસ્ટ્રોલ  જે તમારા શરીરની નસોની દિવાલ પર ચોંટી જાય છે અને નશોને  સખત બનાવી દે છે. જામેલા કોલેસ્ટ્રોલના કારણે જ  રક્ત નળીઓનો આકાર સંકોચાઈ જાય છે અને યોગ્ય માત્રામાં લોહીનુ પ્રવાહી નથી બનતુ. મતલબ એ કે તમે જેટલુ સારુ કોલેસ્ટ્રોલ તમારા ભોજનમાં લેશો તેટલુ જ ઓછુ ખરાબ કોલેસ્ટ્રોલ તમારા લોહીમાં રહેશે. બની શકે કે તમને તમારુ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછુ કરવા દવાઓની જરૂર પડે, પરંતુ યોગ્ય આહાર લેવાની સાથે સાથે તમારે નિયમિત કસરત પણ કરવી જરૂરી છે. હંમેશા સમય સમય પર કોલેસ્ટ્રોલના સ્તરની તપાસ કરાવતા રહો.

દાડમનો રસમુખ્ય શ્રોત છે  – દાડમનો રસ કોલેસ્ટ્રોલના જામેલા સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં  નાઈટ્રિક ઓક્સાઈટનુ ઉત્પાદન વધારી દે છે. નાઈટ્રિક એસિડથી આર્ટરીઝમાં જામેલા કોલેસ્ટ્રોલના જામેલા સ્તર ઓછા  થવામાં મદદ મળે છે.

ઉગેલા અનાજ પણ કોલેસ્ટ્રોલ નું લેવ ઓછ્હું કરવામાં મદદ કરે છે  – તાજેતરમાં એક અભ્યાસથી  જાણવા મળ્યું છે  કે જે લોકોના ભોજનમાં આખુ અનાજ જેવા અંકુરિત ધાન્યનો ખોરાક લે છે તેમની કૈરોટિડ આર્ટરીની દિવાલ પાતળી રહે છે. સાથે સાથે તેઓ જલ્દી જાડા થતા નથી . અને તેમના શરીરમાં કોલેસ્ટ્રોલ જમા થવાની સમસ્યા રહેતી નથી

અળસિયાનુ તેલ – આ તેલના ઉપયોગથી high BP નિયંત્રિત કરી શકાય છે. અભ્યાસ દ્વારા જાણી શકાય છે કે જે મધ્ય આયુ વર્ગના પુરૂષોએ આઠ ગ્રામ અલસીનુ બીજ નિયમિત રૂપે ખાધુ તેમનુ બીપી ઓછુ થય ગયું. આ તેલમાં પુષ્કળ પ્રમાણમાં ઓમેગા-3 ફૈટી એસિડ્સ રહેલા હોય છે.

પિસ્તા-અખરોટ અને બદામ – અમેરિકી કોલેજ ઓફ કાર્ડોયોલોજીના જર્નલમાં એક શોધ મુજબ પિસ્તા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનુ સતર ઘટી જાય છે. અખરોટ ના સેવનથી દિલની  બીમારીથી બચી શકાય છે. પિસ્તા,અખરોટ અને બદામમાં રહેલ ઓમેગા-3 તેમજ ફૈટી એસિડ અને એંટીઓક્સીડેટ્સ વસાયુક્ત ભોજનમાં રહેલ સૈચુરેટેડ ફેટ્સ દ્વારા આર્ટરીઝને થનાર નુકશાનની ભરપાઈ કરી શકાય છે.

કાળા સોયાબીન – સાયંસ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર અમેરિકાના જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ કાળા સોયાબીનનો ઉપયોગ કરવાથી જાડાપણું ઓછુ થાય છે. એલડીએલ કોલેસ્ટ્રોલ, સાથે જ ટાઈપ-2 ડાયાબિટીઝનુ જોખમ પણ ઓછુ થાય છે.

દહીં – સૌથી છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે દહી, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં તમારી મદદ કરે છે. દહીંમા રહેલા પ્રોબાયોટિક્સ લૈક્ટોબેસિલિયસ એસિડોફિલિસ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. બની શકે કે તમે આજે કોલેસ્ટ્રોલના વધતા સ્તરના જોખમ પર ન હોય, પરંતુ ખાદ્ય પદાર્થોની પ્રાથમિકતામાં પરિવર્તન કરી તમે ભવિષ્યમાં પણ થનારા સંકટોથી બચી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here