ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

0

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કોલેસ્ટ્રોલ, પાચન ક્રિયા, ડાયાબીટીસ, આંખની રોશની માટે અનેકગણી લાભકારી છે આંબલી

    આમલીની ઉપરની ખરબચડી છાલનું ચૂર્ણ ગાયના દહીંમાં એક ચમચી જેટલું સવાર-સાંજ ખાવાથી મસા-પાઈલ્સ મટે છે.  ભૂખ લાગતી ન હોય કે આહારનું પાચન થતું ન હોય તો એક કપ જેટલું પાકી આમલીનું સાકરમાં કે ગોળમાં બનાવેલું તાજું શરબત પીવું.  આમલીનું શરબત પીવાથી ભાંગનો નશો ઊતરી જાય છે. કચુકાનો પાઉડર અને હળદરનો લેપ કરવાથી મચકોડ મટે છે. …

  • હરસ-મસાથી છો પરેશાન તો એકવાર જરૂર અપનાવી જુઓ આ ઉપાય

    હરસ-મસાથી છો પરેશાન તો એકવાર જરૂર અપનાવી જુઓ આ ઉપાયપાઈલ્સ(હરસ)ખૂબજ પીડાદાયક બીમારી છે આજ કાલ આ બીમારી સામાન્ય જોવા મળી રહી છે. આ બીમારીનુ ખાસ કારણ ઓછી માત્રામાં પાણી પીવુ, અનિયમિત દિનચર્યા અને ખાનપાન છે.પાઈલ્સ બે પ્રકારની હોય છે. લોહીયાળ હરસ અને મસ્સાવાળી હરસ લોહીયાળ પાઈલ્સમાં મળત્યાગ કરતીવખતે પીડા સાથે લોહી પણ ખૂબ નીકળે છે.…

  • વેજીટેબલ પૌઆ કટલેટ

    વેજીટેબલ પૌઆ કટલેટ: હાઇ ફે્ન્ડસ, તમે બધા કટલેટ તો બનાવતા જ હશો.આજે હું તમારા માટે કટલેટની હેલ્ધી અને સ્વાદિષ્ટ વેરાયટી લઈને આવી છુ જે નાના મોટા બધાને ગમશે.આને તમે બે્કફાસ્ટમાં કે ઈવનીંગ સ્નેક્સમાં પણ બનાવી શકો છો.તો નોંધી લો અત્યારે જ મારી આ રેસીપી અને બનાવો તમારા કિચનમાં. સામગી્: પૌઆ-૧ કપ, બાફેલા બટાકા- ૧ કપ,…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here