શરદી ઉધરસ માટે રામબાણ ઇલાજ એટલે ફક્ત એક ઔષધ અરડૂસી

0

અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે. અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.

અડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.

=તેનો છોડ ૪ થી ૧૦ ફૂટ ઉંચો થાય છે તેના પાન જામફળીનાં પાનને મળતાં ૩-૪ ઇંચ લાંબા અને દોઢ – બે ઇંચ પહોળાં તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સ્થળે બાગ-બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છે.

સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ

હિતાવહ છે.કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફહોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસીસારુ કામ કરે છે. અડૂસી એ ક્ષયમાં ખુબ જ સારી છે.ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. અડૂસી ઉત્તમ ઉત્તેજક, કફનિઃસારક અને સંકોચ વિકાસ પ્રતિબંધક છે, તેના ફૂલો, તીખાં, કડવા, તૂરા, મૂત્રજનન, કફધ્ન, જવરધ્ન અને લોહીની ઉષ્ણતા ઓછી કરનાર છે.

અડૂસી નો ઉપયોગ – ખાંસી, શ્વાસ, કફ અને ક્ષય રોગ માટે અડૂસીનાં પાન તથા તેનાં પુષ્‍પોનો રસ કાઢી, તેમાં મધ નાખી રોજ સવાર-સાંજ આપવો.

અડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે. અડૂસી ના રસ નો ઉપયોગ કરવાથી રક્તપિત્ત,લોહીની ઉલ્ટીથવી,મળમૂત્ર માર્ગ થી લોહી પડવું ,દાત માંથી પડવું લોહી વગેરે જે રોગો ને મટી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here