તરબૂચ એક સ્વાદિષ્ટ ફળના રૂપમાં જાણીતું છે. તરબૂચને ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. જો ગરમીની ઋતુમાં તરબૂચનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ઠંડકનો અહેસાસ થાય છે. એટલું જ નહીં પરંતુ અનેક બિમારીઓ સામે લડવાની ક્ષમતા પણ વધે છે. તરબૂચનું સેવન કરવાથી શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે. તરબૂચમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, મિનરલ્સ, વિટામિન-બી, વિટામિન-સી અને વિટામિન-ડી પર્યાપ્ત માત્રામાં હોય છે, જેને ગરમીની ઋતુમાં આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે.
જો તરબૂચનું સેવન નિયમિત રૂપથી કરવામાં આવે છે તો તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત રહે છે. જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ એકદમ ઓછું થઈ જાય છે. તરબૂચમાં ખૂબ જ વધારે માત્રામાં પોટેશિયમ હોય છે, જેને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તરબૂચનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત રૂપથી બની રહે છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે. તરબૂચનું સેવન કરવાથી હૃદયનાં સ્વાસ્થ્યમાં સુધારો આવે છે.
ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો
- સામગ્રી
- 1 ગ્રામ – તજ
- 1 ગ્રામ – કાળામરી
- 10 ગ્રામ – તેજ પાન
- 10 ગ્રામ – મગજતરી
- 10 ગ્રામ – અખરોટ
- 10 ગ્રામ – અળસી
બનાવવાની રીત: ઉપરની દરેક સામગ્રીને મિક્સ કરીને મિક્સરમાં પીસી લો. તેનો બરાબર પાઉડર બનાવી લો. તૈયાર છે તમારું ચૂર્ણ.. રોજ એક એક ચમચી ભૂખ્યા પેટે પાણી સાથે આ ચૂર્ણ લેવું. ચૂર્ણ લીધા બાદ એક કલાક સુધી કઇપણ ન ખાવું. આ ચૂર્ણ ખાવાથી તમારા શરીરની બધી નસ ખુલી જશે. આ ચૂર્ણ હૃદય રોગના દર્દીઓ પણ લઇ શકે છે. જેનાથી તમને ઘણો આરામ મળશે.તેમજ તમને હાર્ટ એટેક કે લખવા જેવી બિમારીઓથી રાહત મળી શકે છે. તેમજ ઘણો ફાયદો થઇ શકે છે.