ડેન્ગ્યુ થવા ના મુખ્ય કારણો અને તેનાથી બચવાના ઉપાયો

0

ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા શું છે તેના વિષે માહિતી ડેન્ગ્યુ શું છે ? ડેન્ગ્યુ વાયરસથી થતો રોગ છે . ડેન્ગ્યુ રોગ ચાર પ્રકારના વાયરસમાંના કોઇ પણ એક વાયરસના ચેપ લાગવાથી થઈ શકે છે . DENV 1 , DENV 2 , DENY 3 , OR DENY 4 ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે . ડેન્ગ્યુ વાયરસ ચેપી એડીસ મચ્છરના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે . એડીસ મચ્છરના લાક્ષણિકતાઓ – એક અલગ શારીરીક લક્ષણ ( તેના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટા હોય છે) તેને ટાઈગર મચ્છર પણ કરે છે . તે દિવસ દરમ્યાન કરડે છે . તે ચોખા અને આ સ્થગિત પાણીમાં ઈંડા મુકે છે.

શું તમે જાણો છો ? માત્ર માદા મચ્છર જ માણસને કરડે છે કારણ કે તેને ઈંડાના વિકાસ માટે લોહીમાં રહેલ પ્રોટીનની જરૂરિયાત હોય છે . મચ્છર ચેપ ધરવતા વ્યક્તિને કરડયા પછી લગભગ સાત દિવસ બાદ ચેપી બને છે પછી માનસમાં ચેપ ફેલાય છે. – એકવાર ચેપી બન્યા પછી મચ્છર જીવનભર ચેપી રહે છે અને આ ચેપ પોતાના ઈંડામાં પણ આપે છે. તેનો ક૨ડવાનો મુખ્ય સમય પરૌઢ અનૈ સમી સાંજમાં જ છે . સુર્યોદય પછીના બે કલાક અને સૂર્યાસ્ત પહેલાના ૨ કલાકમજ આ મચ્છર કરડે છે

( એડીસ મચ્છર વિષે જાણવા જેવી કેટલીક હકીકતો , એડીસ મચ્છરનું સરેરાશ આયુષ્ય બે અઠવાડિયાનું છે . એડીસ મચ્છર તેના જીવન કાળ દરમ્યાન ૩ વાર ઈંડા આપે છે અને દર વખતે લગભગ ૧૦૦ ઈંડા આપે છે . ઈંડા ખૂબ જ સુકી ભેજ રહિત વાતાવરણમાં અને પાણીની ગેર હાજરીમાં ઘણા મહિના સુધી જીવંત રહી શકે છે આ ઈંડાને પાણી મળતાજ તેમાંથી મચ્છરના પોરા બહાર નીકળે છે . અને આમ મચ્છરોનીની સંખ્યામાં વધારો થાય છે . એમપુખ્ત મચ્છર ઘરની અંદર અંધારૂ હોય તેવી જગ્યા એ આરામ કરે છે , તે મર્યાદી ક્ષમતાથી જ ઉડે છે. આમ આ ચેપ મોટા ભાગે માંસ દ્વારા ફેલાય છે.

આમ ઘરમાં રહેલા જુજુ મચ્છરો મોટા પ્રમાણમાં ડેન્ગ્યું ફેલાવે છે ડેન્ગ્યુનો માછ્ચ્ર ખાડા-ખાબોચિયા, ગટર, નહેરો, નદિ અથવા તળાવોમાં મચ્છર મુકતા નથી. ચેપી મચ્છર કરડયા બાદ મનુષ્ય માટે ૫ થી ૬ દિવસ પછી એના લક્ષણ જોવા મળે છે.

ડેન્ગ્યુના રોગથી બચવા માટે તમે શું કરી શકો છો ? ડેન્ગ્યુ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે . સૌથી વધુ સુર્યોદય પછીના બે કલાક અને સૂર્યાસ્ત પહેલાના બે કલાક દરમ્યા કરડે છે , શક્ય હોય તો શરીરના બધા જ અંગોને ઢાંકીને રાખે તેવા લાંબી બાંયના કપડા પહેરવા ડેન્ગ્યુ થી બચવા દિવસ દરમ્યાન પણ કોઈલ, ઈલેક્ટ્રીક મેટનો ઉપયોગ કરવો . બાળકો , વૃધ્ધો અને અન્ય લોકો દિવસ દરમ્યાન મચ્છરથી બચવા મચ્છરદાનીમાં આરામ કરવો .

ડેન્ગ્યુ તાવના લક્ષણો : ૨ થી ૭ દિવસના સમય માટે તીવ્ર તાવ આવે અને અહી આપેલ લક્ષણોમાંથી કોઇપણ લક્ષણ હોય શકે… સખત તાવ અચાનક ચડે. માથાના આગળના ભાગમાં તીવ્ર દુખાવો. આંખ પાછળનો દુખાવો, જે આંખની ગતિવિધિ સાથે વણસે, સ્નાયુ અને સાંધાનો દુખાવો, સ્વાદ અને ભૂખની સંવેદના મરી જાય, છાતી અને હાથમાં ઓરી જેવી ફોડકીઓ, ઉબકા અને ઉલ્ટી

જો તમને લાગે કે તમને ડેગ્યું છે તો શું કરવું જોઈએ . સતત આરામ ( બેડ રેસ્ટ કરવો ) . ઠંડા પાણીના પોતા મુકવા . એસ્પિરીન , બુફેન ના લેવી . કારણ કે તેનાથી પેટના દુખાવા , ઉલટી તથા પ્લેટલેટ કામ કરતા બંધ થવા જેવી મુશ્કેલીઓ ઉભી થાયા છે . તાવને કાબુમાં લેવા પેરાસીટામોલ જેવી દવા લેવી . જ્યારે સતત ઉલટી અથવા પરસેવો છૂટે ત્યારે દર્દીને મોઢાથી ઓઆરએસ જેવું પ્રવાહિ આપવું . મચ્છરના કરડવાથી બચવું આખી બાંયના કપડા પહેરો.દર્દીને મચ્છરદાનીમાં સુવાની સલાહ આપો મચ્છર વિરોધી મલમનો ઉપયોગ કરો ( જ્યારે તાવ આવે ત્યારે ) દરવાજા અને બારીઓ ઉપર મચ્છર જાળી લગાડો જેથી મચ્છર ઘરની અંદર પ્રવેશી ના શકે . ડોક્ટરની સલાહ લેવી . વધુ માત્રામાં પ્રવાહી લેવું . ડેન્ગ્યુના નિદાન માટે લેબોરેટરી પરીક્ષણ દદીને ડેગ્યુના લક્ષણો જણાય તો ડોક્ટર લોહીના પરિક્ષણની સલાહ આપી શકશે . પ્લેટલેટમાં ઘટાડો અથવા હેમોટોક્રીટમાં વધારો થવો એ ડેગ્યું હોવાની સંભાવના વધારે છે . પ્લેટલેટ શરીરમાં રક્તસ્ત્રાવ થતો અટકાવે છે . જ્યારે હેમેટોક્રીટ લોહીનું પાતળુપણુ અથવા ઝાડાઇ દર્શાવે છે .

શું ડેગ્યુથી મૃત્યુ થઈ શકે છે ? સામાન્ય રીતે ડેગ્યુ તાવના મોટાભાગના કિસ્સામાં મૃત્યુ થતું નથી પરંતુ DHF અને Dss માં મૃત્યુ થઈ શકે . આવા દર્દીઓને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે વિના વિલંબે દાખલ કરવા . પુખ્ત વયના દર્દીઓ કરતાં બાળકોને DHs અને Dss થવાની વધુ સંભાવના છે જેથી માતા પિતાએ વધુ સતર્કતા રાખવી . યોગ્ય સારવારથી DHF અને Dss ના દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઈ શકે છે . સારી અને સમયસરની સારવાર જીંદગી બચાવી શકે છે . તાત્કાલીક તબીબી સારવાર માટેના ચેતવણી આપતા ચિન્હો . પેટમાં સતત દુખાવો અથવા ઉલ્ટી . ચામડી પર લાલ ફોલ્લીઓ કે યકામાં . નાક અથવા પેઢામાંથી રક્ત સ્ત્રાવ લોહીની ઉલ્ટી , સુસ્તી અથવા ચિડીયાપણું .નિસ્તેજ ઠંડી , શ્વાસ લેવામાં તકલીફ અને ચીકણી ત્વચા .

સારવાર આપતા ડોક્ટર દ્વારા શું કાળજી રાખવી જોઈએ ? ૧ થી ૨ કલાકના અંતરે દદીઓની સ્થીતીમાં થયેલ સુધારાનું જાત નિરીક્ષણ કરવું • પ્લેટલેટ અને હેમોક્રેટીકનું સમયાંતરે નિરીક્ષણ કરવું જેથી થયેલ સુધારાનો અંદાજ કરી શકાય . ડોક્ટર દ્વારા લૂઇડ અથવા પ્લેટલેટ ચડાવવા માટે સલાહ આપી શકાય ( બધા દર્દીઓને પ્લેટલેટ ચડાવવાની જરૂરીયાત હોતી નથી . ) શું તમને એકવાર ડેબ્યુ થયા બાદ ફરીથી તે રોગ લાગુ પડી શકે ? હી ડેગ્યુના એક ટાઇપના વાયરસથી ડેબ્યુ થયો હોય તો પણ બીજી ટાઇપના વાયરસથી ડેબ્યુ થવાની શક્યતા રહે છે . ડેગ્યુના એક પ્રકારના સીરોટાઈપ થી અન્ય સીરોટાઇપ સામે રક્ષણ પામી શક્તા નથી . કોઈપણ વ્યક્તિને પોતાના જીવનકાળ દરમ્યાન એકથી વધુ વાર ડેગ્યનો રોગ લાગુ પડી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here