મીઠું વધુ ખાવાથી મગજ પર ખરાબ અસર થાય છે યાદ શક્તિ જ નહીં પરંતુ બુદ્ધિ પણ નબળી પડે છે વધુ મીઠાંનું સેવન કરવા થી મગજમાં લોહીનો પ્રવાહ 25%સુધી ઘટી જાય છે તાજેતર માં થયેલા એક સંશોધનથી જાણવા મળ્યું કે મીઠાંની માત્રા વધારે હોય તેવા આહારનું સેવન કરવાથી બુદ્ધિ ઓછી થઈ શકે છે. તાજેતરના એક સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે મગજ માં ટાઉ પ્રોટીનની માત્રા વધવાથી યાદશક્તિ નબળી પડેછે અને બુદ્ધિમાં પણ ઘટાડો થાય છે.
ડિમેન્શિયાનું મુખ્ય કારણ મીઠું ન્યૂ યોર્કમા સ્થિત ફિલ ફેમિલી બ્રેન એન્ડ માઈન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રોફેસર ડોક્ટર ગિઉસેપ્પે ફર્કો આ સંશોધનનાં મુખ્ય સંશોધક છે. આ સંશોધન નેચર ન્યુરોસાયન્સ ટ્રસ્ટેડ સોર્સિસ જર્નલમાં પ્રકાશિત થયું છે ડોક્ટર ફર્કોએ જણાવ્યું કે, હંમેશાં મીઠાંનું વધુ પ્રમાણ અને મગજની નબળી કાર્યક્ષમતા વચ્ચે સંબંધ રહ્યો છે અને મીઠું ખાવું એ ડિમેન્શિયા નું મુખ્ય કારણછે કેવી …રીતે અભ્યાસ થયો?
આ અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું કે વધુ મીઠું ખાવાથી ઉંદરોમાં ડિમેનશ્યિના લક્ષણો દેખાવા લાગ્યા મીઠું એવા અણુઓ ને વધુ ઝડપથી પેદા કરે છે જેનાથી શરીરમાં સોજો આવે છે.ઇન્ટરલ્યુકિન-17 અણુ મગજ ના કોષો નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવાનું ઓછું કરી દે છે… .
નાઇટ્રિક ઓક્સાઇડ રુધિરવાહિનીઓને પહોળી કરે છે અને લોહીના પ્રવાહમાં મદદ કરે છે જો કેનાઇટ્રિક ઓક્સાઇડની ઊણપ લોહી ના પ્રવાહને ઘટાડી શકે છે ઉંદર પર હાથ ધરવા માં આવેલા અભ્યાસોએ દર્શાવ્યું કે, વધારે મીઠાંયુક્ત આહાર. ખાવાથી IL-17 નું સ્તર વધ્યું છે અને નાઈટ્રિક ઓક્સાઈડનું સ્તર ઘટીગયું છે જેનાથી મગજના લોહીનો પ્રવાહ 25% સુધી ઘટી ગયો.
સોડિયમની વધુ માત્રા નુકસાનકારક સંશોધક ફર્કો અને તેની ટીમનું માનવું હતુંકે સોડિયમનો વધુ પડતો ઉપયોગ મગજમાંલોહીનાપ્રવાહમાં વિક્ષેપિતકરીને ડિમેન્શિયાનું જોખમ વધારે છે. પરંતુ, સંશોધન પછી જાણવા મળ્યું કે રક્ત પ્રવાહમાં કોઈ ઘટાડો થયો નથી પરંતુ ટાઉ પ્રોટીનની માત્રામાંવધારો થવા ને કારણે યાદશક્તિ નબળી પડી છે.સંશોધકોએ આઠ અઠવા ડિયાં કેટલાક ઉંદરોને સામાન્ય આહાર આપ્યો અને કેટલાકએ સોડિયમયુક્ત આહાર આપ્યો ઉંદરોને ચારથી 36 અઠવાડિયા સુધી આહાર આપવામાં આવ્યો ત્યાર બાદ, વૈજ્ઞાનિકોએ પરી ક્ષણમાં જાણ્યું કે, વધુ મીઠું લેતા ઉંદરો માં નાઈટ્રિક ઓક્સા ઈડનું પ્રમાણ ઓછું હતું, જેનાથી મગજ માં ટાઉ પ્રોટીનની માત્રામાં વધી ગઈહતી ટાઉપ્રોટીન અલ્ઝા ઇમર નું કારણ બને છે……..
સંશોધન દરમિયાન, વૈજ્ઞનિકોએ વર્તણૂકીય, સેરેબ્રો વેસ્ક્યુલર અને મોલેક્યુલર સ્તરે પરીક્ષણો કર્યાં. તેમાં જાણવા મળ્યું કે, વધુ મીઠું લેતા ઉંદરોમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હોય છે, જે મગજમાં ટાઉ પ્રોટીન ની માત્રામાં વધારો કરે છે. ટાઉનું વધુ પડતું સ્તર અલ્ઝાઇમર થવાનું કારણ માનવામાં આવે છે……..