ઉપયોગમાં આવે તેવી ૨૦ ઘરગથ્થું ટીપ્સ

0

(1) તમારે દરરોજ સવારે દસ્ત બહાર નથી નીકળતી બે-ત્રણ દિવસ થાય છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ ૩ ગ્રામ જેટલોં મેથીનો ભૂક્કો સવાર-સાંજ ગોળ અને પાણી સાથે થોડા દિવસ લેવાથી દસ્ત સાફ આવે છે. અને નિયમિત બને છે આ પ્રયોગ દરરોજ કરવો જોઈએ

-(2) ચોમાસું આવે એટલે મચ્છરનો ત્રાસ વધી જતો હોય છે આમ મચ્છરના ડંખથી બીમાર પડવાના ચાન્સ પણ વધી જાય છે પરતું આ પ્રયોગ કરશો તો તમે જરૂર મચ્છર નહિ કરડે અને તમે મચ્છરના ડંખથી બચી શકશો મચ્છરના ડંખથી બચવા લવિંગનું તેલ લગાડવું જેથી મચ્છર તમારી પાસે ફરકશે પણ નહિ.

(3) બધાને ગરમ ગરમ ચાની ચૂસકી મારવાની આદત હોય છે ક્યારેક તમે ઉતાવળમાં હોય અને ગરમાગરમ ચા પીવાથી જીભ દાઝી જાય તો તરત આ એક કામ કરો જયારે જીભ દાઝી જતી હોય છે ત્યારે આખો દિવસ આપણો જીવ જીભમાં જ હોય છે જીભ દાઝી જાય તો તરત જ જીભ પર ચપટી સાકર મૂકો રાહત થશે.

(4) ગાલ પ્ચોલીયા થાય ત્યારે ગાલ પચોળિયા પર ગરમ પાણીમાં મીઠું નાખી રોજ ૨-૩ વાર કોગળા કરવા. બારીક મીઠું ઝીણા કપડાની બેવડમાં મૂકીને ગળા પર ગાલપચોળા પર બાંધવાથી ગાલપચોલીયામાં લાભ થાય છે.

  (5) ખીલથી રાહત મેળવવા માટે લાલ ચંદનમાં ખીરાનો રસ ભેળવી ખીલ પર લગાડી અડધો કલાક રાખી ત્યારબાદ ધોઇ નાખવાથી ખીલમાં ફાયદો થાય છે. 

(6) ઘણા લોકોને કોણી એકદમ કાળી હોય છે ઘણા બધા નુસખા અજમાવતા હોય છે કોણીની કાળાસ દુર કરવા માટે આ નુંસ્ખો જરૂર કામ લાગશે’ કોણીની કાળાશ દૂર કરવા લીંબુ, ટામેટાનો રસ તથા સાકર ભેળવી મિશ્રણ બનાવી કોણી પર ઘસવું. આમ કરવાથી કોણીની કાળાશ દુર થાય છે

-(7) દુબળું પાતળું શરીરમાં સાવ ગમતું ન હોય અને શરીર ભરાવદાર બનાવવા માટે બે પાકા કેળા, સફરજન, બદામ, કાજુ અને મગફળી નિયમિત ખાવાથી કૃષ કાયા પર ચરબી જામશે તેમજ શરીર ભરેલું થશે અને સાવ પાતળા લોકોએ આ પ્રયોગ જરૂર ટ્રાય કરવો જોઈએ જેથી શરીર એકદમ ભરાવદાર બનશે અને ચરબી વધશે

–   (8) શરીર જકડાઈ જાય ત્યારે શું કરવું આ પ્રયોગ જરૂર કામ લાગશે વાયુ કે કફ(આમ) દોષથી અંગ જકડાઇ ગયાં હોય તો રાઇની પોટીસ લગસ્વાથી રાહત થાય છે.

(9) ચોમાસાની ઋતુ આવે એટલે ડાયેરિયા તેમજ ખોરખ ન પચવાની સમસ્યા થતી હોય છે તો ચોમાસાની ઋતુમાં કોઇ પણ સ્વરૂપે ફૂદીનો ખાવાથી ડાયેરિયા તેમજ પેટની સામાન્ય તકલીફમાં ફાયદો થાય છે.

– (10) એક ચમચો ચોખાના લોટમાં બે ચમચા દહીં ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવું. આ મિશ્રણ ઉત્તમ ઘરગથ્થુ કિલનજિંગ મિલ્કનું કામ કરશે.

– (11) જયારે તમારા હાથ કે પગના બહારના ભાગમાં મચકોડાય જાય ત્યારે ,  બહારના માર કે મચકોડ પર હળદર તથા મીઠું ગરમ કરી લેપ કરવો તથા  ગોળ-ઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો ખવડાવવાથી પીડા દૂર થાય છે. અને મચકોડ ઉતરે છે આ પ્રયોગ આપણા પૂર્વજો એટલે કે આપણા દાદીમાં કરતા હતા

–  (12 ચણાના લોટમાં દૂધ તથા તેલ મેળવીને કાયમ સ્નાન કરવાથી શરીરનો રંગ ગોરો તેજસ્વી બને છે. આમ ચણાના લોટથી નિયમિત નાહવાથી સાબુ કરવા વધારે ગણ કરશે

–  (13) સેક્સ શક્તિ વધારવા નિયમિત ૧૦૦ ગ્રામ ખારેક ખાવાથી શક્તિ વધે છે

–  (14) નાના બાળકને તાવને કારણે પરસેવો વળે તથા હાથ-પગ ઠંડા લાગે તો સૂંઠના ચૂરણને શરીરે હળવે હાથે લગાડવાથી સારું લાગશે.

–  (15) મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઇ દૂર થાય છે.

–  (16) હાથ પર ટમેટાનો ગર હળવે હાથે રગડવાથી ત્વચા મુલાયમ થાય છે. અને મેલ નીકળી જાય છે

–  (17) સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસીડીટીમાં રાહત થાય છે.

–  (18) તમને વારંવાર ચક્કર આવતા હોય તો આ પ્રયોગ જરૂર કરવો તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંધ થાય છે.

–  (19) દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે. એટલે કે માથાના દુખાવામાં રાહત થાય છે

–  (20) જેમનું વજન વધતું ન હોય, જેઓ કાયમ દુબળા-પાતળા રહેતા હોય તેમણે ભોજનમાં  ૨-૪ દિવસે અડદની દાળ, અડદનો ઉપયોગ કરવો. તે સાથે શારીરિક શ્રમ કે વ્યાયામ કરવો. તેથી ૪-૬ માસમાં શરીર જાડું, પુષ્ટ અને તાકાતવાન બનશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here