રસોઈ બનાવતા રસોઈનો સ્વાદ બગળી જાય તો ગભારસો નહિ આ રહી રસોઈને સુધારવા માટેની ટીપ્સ

0
  • ભિંડાની શાક બનાવતા સમયે તેમાં ચિપચિપ આવી જાઅય છે તે માટે તેમાં થોડું લીંબૂનો રસ કે આમચૂર પાવડર મિકસ કરી નાખો .
  •  ગરમીમાં કીડીઓના કારણ પરેશાની હોય છે . તે સમયે ટ્યૂબલાઈટની પાસે ડુંગળી 1-2 લટકાવી નાખો .
  •  ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરુંમાં 1 લીંબૂનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું લાગશે અને ભજીયાનો પણ સ્વાદ વધશે .
  • શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે. કોઈપણ રસાવાળુ શાક ઘટ્ટ બનાવવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટી નો ભુક્કો તેમાં મિક્સ કરી દો . તેનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે ટેસ્ટી પણ બનશે . શાકમાં ગ્રેવીનો રંગ લાલ લાગે તે માટે થોડી કોફી નાખવી
  • બસ તો રસોઈને ફરી બગડતી અટકાવવા જાણી લો આ ઉપયોગી કિચન ટિપ્સ … 1. તમને ખબર હશે કે લીલા વટાણાનું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળીએ એટલે તે સંકોચાય જાય છે , પરંતુ તમે ઈચ્છતા હોવ કે આવું ન થાય તો એના માટે પાણીમાં એક ચમચી ખાંડ નાખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતા સમયે આ જ પાણીનો ઉપયોગ કરવો .
  • મસાઓ, બ્લેકહેડ્સ, ઉંમર વધતા થતી ફોલ્લીઓ અને ત્વચા પરના ડાઘને કુદરતી દુર કરવા માટેની ટીપ્સ
  •  પુલાવ બનાવતી વખતે ચોખા અડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ એમાં નાખી દો . પુલાવનો એક એક દાણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે અનાજની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી .
  •  કારેલાને ચીરી મીઠુ લગાડવાથી તેની કડવાશ ઓછી થઈ જશે . અથવા કારેલાને બનાવતા પહેલા કાપીને મીઠાના પાણીમાં પલાળી દો . કારેલાની કડવાશ નીકળી જશે .
  •  ૧ મહિનામાં ૧ વખત મિક્સરમાં મીઠું નાખીને હલાવવાથી મિક્સરની બ્લેડ ઝડપી ચાલશે .
  • અનાજ ની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી .
  •  તાજા બ્રેડને ભીના ચાકુથી કાપવાથી બ્રેડ જલ્દીથી કપાઈ જશે . બ્રેડની કિનારીને પણ ભીની છરીથી કાપી શકાશે .
  •  લસણને થોડુ ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે .
  •  રોટલી શેક્યા બાદ તવી પર લીંબુની છાલ ઘસશો તો તવી એકદમ ચોખ્ખી બની જશે .
  •  ફ્રીઝમાં જામેલા ( કડક ) લીંબુમાં જો રસ ન નીકળે તો તેને થોડા સમય માટે ગરમ પાણીમાં પલાળી રાખવા . આમ કરવાથી લીંબુમાં રસ વધારે નીકળશે .
  •  ભરેલાં પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સરળતા રહે છે અને પરવળ તૂટતાં નથી
  •  જુના બટાટા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ રહેશે .
  •  બટાકા ઉકાળતી વખતે પાણીમાં થોડુ મીઠુ મિક્સ કરી દો . આમ કરવાથી બટાકા ફાટશે પણ નહીં અને કેવી હોય અને
  •  ખીર બનાવતી વખતે દૂધ પતલુ કે ઓછું થઇ જાય તો તેમાં થોડા ચોખા વાટીને ભેળવી દો . આનાથી સ્વાદ પણ સરસ આવશે
  •  આંબળાનો મુરબ્બો બનાવતી વખતે 500 ગ્રામ તૈયાર મુરબ્બામાં 2 ચમચી ગ્લિસરીન નાખવાથી મુરબ્બામાં ખાંડ નહિ જામે .
  •  મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે .
  •  કાબુલી ચણા બોઈલ કરતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે .
  •  કાપેલા સફરજનમાં લીબુના થોડા ટીપા નાખવાથી તેનો ઉપરનો ભાગ કાળો નહિ પડે .
  • . આલુ પરોઠાં બનાવતી વખતે બટાકાંમાં અથાણાનો થોડો મસાલો નાખવાથી પરોઠાંનો સ્વાદ બદલાઇ જશે .
  • . લોટના ડબ્બામાં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબો સમય સુધી તાજો રહેશે .
  •  રસોઈ કરતા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય તો તેની ઉપર બર ઘસવો , બટેટા પીસીને લગાવવા , ધીનારિયેળ તેલ લગાવવું કે કેળાને મેશ કરીને લગાવવું

–> મેથીની શાકની કડવાશ હટાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો, ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય વાંચવા અહી ક્લિક કરો, કાપેલા સફરજન કાળા ન પડે એ માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો,

બાળકને માટી , ચોક ખાવાની આદત હોય તો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here