દાદીમાના ઘરગથ્થુ ઓહડીયા એકવાર જરૂર અજમાવજો હમેશા તંદુરસ્ત રહેશો

0

દરેક રોગ માટે દાદીમા અપનાવતા ઘરગથ્થુ ઓહડીયા જે hospital n જવું પડતું | દેશી દવા | દાદીમાના નુસખા

આ ફકત સામાન્ય વનસ્પતિના કેવા અદભૂત ગુણ છે તેમજ આપણા અભણ લોકવૈધો પાસે કેવુ જ્ઞાન હતું તેની જાણકારી માટે છે, તેનો પ્રયોગ કરવા માટે આયુર્વેદાચાર્યની સલાહ લેવી જરૂરી, આભાર
આભાર

(૧) દાંઢનો દુખાવો અથવા મોઢામાં ગરમી થઈ હોય ત્યારે બેઠી ભોયરંગણીનો ધૂપ મોઢામાં લેવો, લાળ પડવા દેવી પછી મીઠાનાં પાણીનાં કોગળા કરી નાખવા

(૨) પગનાં સ્નાયુ નબળા પડ્યા હોય કે લકવાની અસર હોય તો માળવી પુંવાડનાં પાનથી માલીશ કરવો

(૩) સ્ત્રી ને ધાવણ ઓછુ આવતું હોય તો સુવાની ભાજી ગોળ નાખીને ખવડાવવી

(૪) આંખનો દુખાવો કે ગરમી હોય તો વેવડીનાં વેલાને વાટીને તેની લુંગદી નો પાટો આંખ ઉપર બાંધવો

(૫) ઝાડાને બંધ કરવા માટે કાંચનારની છાલ વાટીને પાવી

(૬) ઉલટી બંધ કરવા માટે તુલસીના પાન વાટીને પીવા

(૭) ત્રણ વર્ષથી ઉપરના બાળકની શરદી, ઉધરસ માટે અરડૂસીના પાનનો રસ અને મધ ભેળવી સાંજે અડધી ચમચી પાવો

(૮) કમળાની બીમારીમાં મરડાશીંગી વાટીને ચટાડવી
જુલાબ માટે દંતીનું મુળ અથવા પાન પાણીમાં વાટીને પીવા

(૯) પેશાબમાં ધાતુસ્ત્રાવ થતો હોય તો દારુડીનું મુળ વાટીને ૧ ચમશી રસ રોજ રાત્રે અઠવાડિયા સુધી પીવો
આભાર

દાદીમાના દેશી નુસખા બધા ને જરૂર પસંદ આવશે મિત્રો આવી અવનવી માહિતી મેળવવા માટે ફેસબુક પેજ ને લાઇક કરો અને મીત્રો સાથે શેર કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here