આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા, તેના સેવનથી થાય છે અનેક અદભૂત લાભ

0

આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા , તેના સેવનથી થાય છે અનેક અદભૂત લાભ ભગવાન શ્રી ગણેશજીની પૂજમાં દુર્ગાનું ખૂબ મહત્વ છે . દુર્વા વગર બાપ્પાની પૂજા અધૂરી માનવામાં આવે છે . પરંતુ શું તમે જાણો છો કે દુર્વાના સેવનથી સ્વાથ્યને લગતા પણ લાભ થાય છે . ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે . તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે જાણો દુર્વાથી તમારા શરીરને કેવા અદભૂત ફાયદા થાય છે . લોહીની ઉણપ દૂર કરેઃ દુર્વાના રસને લીલુ લોહી પણ કહેવામાં આવે છે . તે પીવાથી એનિમિયા અર્થાત લોહીની ઉણપ દૂર કરી શકાય છે . તે લોહીને સાફ કરીને રક્ત કોશિકાઓને વધારવામાં મદદરૂપ બને છે ત્વચાની સમસ્યામાં રાહતઃ દુર્વામાં એન્ટિ ઈફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક તત્વો રહેલા હોય છે આ કારણે તમને ત્વચાની ખંજવાળ કે અન્ય કોઈ . હળદરના પાવડર સાથે આ ઘાસની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવશો તો તેનાથી ત્વચાની ફોલ્લીઓ દૂર થશે . ગુણોથી ભરપૂર આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાતી દુર્વાનો સ્વાદ તૂરો – મીઠો હોય છે . તેમાં પ્રોટીન , કાર્બોહાઈડ્રેટ , કેલ્શિયમ , ફાઈબર , પોટેશિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે . ‘ તેમાં પિત્ત , કબજિયાત જેવી અનેક બીમારીઓ દૂર કરવાની ક્ષમતા રહેલી છે . માથાના દુઃખાવામાં રાહતઃ જાણકારોના મતે દુર્વા અને ચૂનાને એકસરખા પ્રમાણમાં આયુર્વેદના પાણીમાં પીસી માથા પર લેપ કરવામાં આવે તો માથાના દુઃખાવામાં પણ ફાયદો થાય છે . મોંના ચાંદામાં રાહતઃ દુર્વાના ઉકાળાથી કોગળા કરવાથી મોઢાના ચાંદામાં તરત જ રાહત મળે છે . તે આંખ માટે પણ ખૂલ્સ સારી છે . દુર્વાના ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખો તેજ બને છે . યુરિન ઈફેકશનમાં ફાયદાકારકઃ દુર્વાના રસને મિશ્ર સાથે મિકસ કરી પીવાથી પેશાબમાં લોહી પડતું હોય ત રાહત મળે છે . ૧ કે ૨ ગ્રા દુર્વાની પેસ્ટને દૂધમાં મિક્સ કરી ગાળીને પીવાથી યુરિન ઈન્ફકશનથી છૂટકારો મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here