વાળની માવજત માટેની ખાસ ટિપ્સ જરૂર અપનાવજો અને મિત્રો સાથે શેર કરજો

0

વાળ માટે કયું તેલ અને શેમ્પૂ વાપરવું જોઈએ | વાળ સાવ બરછટ અને ટૂંક છે આટલું કરો | માથામાં થયેલ ટાલ માં પણ વાળ ઊગી નીકળશે કરો લગાવો આ તેલ | માથામાંથી વાળ ખૂબ જ ખરે છે | વાળ બરછટ હોય, બે મુખા વાળ હોય, વાળ વધતા ન હોય તો તે માટે અકસીર ઉપાય છે.

ઘણા લોકોને વાળ સાવ બરછટ અને વાળ સાવ ટૂંકા હોય છે જો તમે વાળ ને લાંબા અને મુલાયમ બનાવવા માંગતા હોય તો આ ટળું કરો વાળ બરછટ અને ટૂંકા હોય તો કસુંબાના બી અને છાલની રાખ તેલમાં મેળવી વાળના મૂળમાં લગાડવી. આથી વાળ સુંવાળા અને લાંબા થાય છે. તેમજ ક્લોજી પાણી સાથે વાટી રોજ સાત દિવસ સુધી માથામાં ચોપડવાથી વાળ વધે છે.

જો તમે વાળને કળા કરવા માંગતા હોય તો તલનાં પાનનો ઉકાળો કરી વાળમાં ચોપડવાથી વાળને પૂરતું પોષણ મળે છે. તેથી વાળ વધે છે અને કાળા બને છે.

તલ પર પણ વાળ આવી જશે બસ આટલું કરો શાસ્ત્રોક્ત વિધિ મુજબ બનાવેલું ગુંજાદિ તેલ વાપરવાથી ખરતા વાળ અટકે છે અને આ તેલ નિયમિત રીતે ટાલ ઉપર ઘસવાથી ટાલ ઉપર પણ વાળ પાછા ઉગી નીકળે છે. અને પછી ક્યારેય ટાલ નહિ પડે. તલના પાન માથે ચોપડીને વાળ ધોવાથી વાળ સુંવાળા અને લાંબા થાય છે.

મિત્રો તમારે વાળ સાવ આછા હોય અને તમે ઉપાધિ કરો છો તો હવે તેંસન લેવાની જરૂર નથી આ ઉપાય કરશો આટલે તમારા વાળ ઘાટ્ટા ઊગી જશે કરંજાદિ તેલ શાસ્ત્રોક્ત વિધિ મુજબ બનાવી આછા વાળ હોય તે ભાગે ઘસવાથી વાળ પાછા ઉગી નીકળે છે.

તેજ જેથી મધ પણ વાળ માટે લાભદાયી છે જેઠી મધનું તેલ વાપરવાથી વાળ વધે છે. અને વાળ ઉતરતા નથી

મેથી વાટીને ટાલ ઉપર લેપ કરવો અથવા ટાલ ઉપર લેપ થોડીવાર મૂકી રાખવો. જેથી થોડા જ દિવસમાં ત્યાં નવા વાળ ઉગવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

જેઠીમધ અને લીલા આમળા ૨૫૦ ગ્રામ, તલનું તેલ ૫૦૦ ગ્રામ, દૂધ ૫૦૦ ગ્રામ લેવું. આ બધું ધીમા તાપે ગરમ કરવું. માવા જેવું થાય ત્યારે તેમાં ૫૦૦ ગ્રામ પાણી નાખવું. તે ઉકાળવું. પાણી બળી જાય પછી ઠંડુ તેલ ગાળી લેવું. આ તેલની માલિશ કરવાથી ટાલમાં વાળ ઉગે છે, દાઢી-મૂછના વાળ બિલકુલ જતા રહ્યા હોય તો પણ તે પાછા ઉગે છે.

૧ તોલો ચણોઠીનાં મૂળ વાટીને તેમાં ભોંયરીંગણીના ડીંડવાનો રસ બે તોલા મેળવી લેપ કરવાથી ટાલ પુરાઈ જાય છે. તેમાં નવા વાળ ઉગે છે.

ગરમ દવાઓ ખાવાથી માથામાં ટાલ પડી ગઈ હોય તો ગોખરું, તલ, મધ, ઘી સમભાગે મેળવી ટાલમાં લેપ કરવો. ટાલનાં ભાગમાં ફરવાળા ટુવાલથી ઘસવું અથવા શેક કરવો અથવા કાંદાની માલિશ કરવી. આમ કરવાથી ટાલવાળા ભાગમાં લોહી ફરતું થાય છે અને ઉપરોક્ત લેપથી વાળ જલદી ઉગે છે.

હાથીદાંતની રાખ, રસવંતી અને ચણોઠી પાણીમાં વાટી માથે લગાડવાથી વાળ પાછા ઉગે છે. આમળાનો પાવડર લીંબુના રસમાં ભેળવી માથામાં ભરવાથી પણ વાળ વધે છે. કરેણનું મૂળ પાણી સાથે ઘસીને માથે લગાડવાથી વાળ વધે છે. માથામાં લીંબુ મસળવાથી ખોડો મટે છે અને વાળ વધે છે.

રસવંતી, હાથીદાંતની ભસ્મ આ બંનેને ઘેટીનાં દુધમાં મેળવી ટાલ ઉપર લેપ કરવો. ગૌક્ષુર, તલ, મધ અને ઘી સરખા ભાગે વાટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડવાથી વાળ નિ:સંશય ફરીથી ઉગે છે.

વાળ જતાં રહ્યા હોય તો કડવા પરવરના પાનનો રસ માથા ઉપર ત્રણ દિવસ સુધી મસળવો જેથી નવા વાળ આવવા લાગશે. બદામનાં તેલની માલિશ કરવાથી વાળ પાછા આવે છે અને ખરતા બંધ થાય છે. કાચા એરંડિયામાં રાઈ વાટીને લેપ કરવાથી વાળ ઉગવા માંડશે. ગુલાબના ફુલને પાણીમાં વાટી પછી ટાલમાં લેપ કરવો. નિયમિત આ પ્રમાણે કરવાથી નવા વાળ આવે છે. લીંબોળીનું તેલ વાળને ખરતા અટકાવે છે.

આ ઉપરાંત જો આયુર્વેદિક ઔષધોપચારની વાત કરીએ તો ખોડા માટે આરોગ્યવર્ધીની વટી, ગંધક રસાયણ અને મહામંજાષ્ઠાદિ ક્વાથ નિષ્ણાંતની સલાહ અનુસાર લઈ શકાય છે. આ ઉપરાંત જો ઘચહગિેકક વધારે પ્રમાણમાં હોય તો ધતુરપત્રાદિ તેલ, નિમ્બતેલ કે કરંજતેલથી અઠવાડિયામાં બે વાર માલિશ કરવું. ઉપરાંત ઘચહગિેકક હોય તો ધતુરપત્રાદિ તેલ, નિમ્બતેલ કે કરંજતેલથી અઠવાડિયામાં બે વાર માલિશ કરવું. ઉપરાંત ઘચહગિેકક હોય, વાળ બરછટ હોય, બે મુખા વાળ હોય, વાળ વધતા ન હોય તો તે માટે શિરોધારા એ ખુબ જ અકસીર ઉપાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here