લાખો રૂપિયા ખર્ચવા છતાં લિવરના ન મટતા રોગોને મટાડનાર છે આ ઔષધ

ફોટામાં બતાવેલ ઔષધી ફૂકડવેલ છે.જે ઔષધી આજે લુપ્ત તા નાં આરે હોય જેથી જેની પાસે જમીન, વાડો,અથવા વાવવાની સુવિધા હોય તેવા લોકોએ આના બીજ ગોતી અને દિવ્ય ગણાતી આં ઔષધી ને બચાવી લેવી જોઈએ.

આ ઔષધી લીવર સબંધિત બીમારી માટે ખુબજ અક્ષીર છે.અને કુદરતની બક્ષિસ છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં લિવરના ન મટતા રોગોને મટાડનાર છે.જો આવી દિવ્ય વનસ્પતિ લુપ્ત થા સે તો આપણી આવનાર પેઢી પોતાની કમાણીના મોટા ભાગના પૈસા આવી બીમારીઓ પાછળ જ ખર્ચતા રહેશે.

ફરી ફરી પણ મારી અપીલ છે.કે આં વનસ્પતિને બચાવો.જે તમોને અને તમારી આવનાર પેઢીને બચાવશે…

Luffa echinata: Kukadvel (કુકડવેલ) કમળો,દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની-કુકડવેલ

કુકડવેલ આપણે ત્યાં ચોમાસા ઠેરઠેર ઉગી નીકળતી તુરીયા કુળની વેલ હતી. અત્યારે પેસ્ટીસાઇડ અને નિંદામણ નાશક ગ્લાયસેલના ઉપયોગના લીધે આ ખુબજ ઉપયોગી વનસ્પતી નાશ થવાના આરે છે.છતાં પણ હજુ ગામડામાં કોઇક ખેતરોની વાય્ડે કે નદીઓના કોતરોમાં જોવા મળે છે.

કુદરતે દરેકે ઋતુ પ્રમાણે શરીરને ડીટોક્ષ કરવા પુરતા પ્રમાણમાં શાક્ભાજી અને મેડીસીનલ હર્બસ આપ્યા છે.

ભાદરવો આવે એટ્લે મોટાભાગની ચોમાસુ વનસ્પતીના પરાગનયનની ક્રીયા પુર્ણ થયેલી હોય છે અને જે તે વનસ્પતીના બીજ કે ફળ તૈયાર થઇ ગયા હોય છે.

આ પરાગનયનની ક્રીયાપછી વધેલા પરાગરજ એટલે કે પોલનની મોટાભગના લોકોને ખુબજ એલર્જી હોય છે

ખાસ કરીને ગાજરઘાસની પોલનની એલર્જી મોટાભગના લોકોને હોય છે. આ પોલનની ખુબજ સુક્ષ્મ એવી રજની અસરથી સતત નાકમાંથી પાણી સાથે ખુબ મોટી સંખ્યામાં છીંકો આવે છે અને આ શરદી ઉંઘ હરામ કરી નાખે છે. આ એલર્જીક શરદીથી ગમે તેવો માણસ પણ થાકી જાય છે.

પણ કુદરતે તેનો ઉપાય આપ્યો જ છે. આ ચોમાસા દરમ્યાન થતી કુકડવેલ. આ કુકડવેલના ફળના જ્યુસનું નસ્ય લેવાથી ગમેતેવી એલર્જીક શરદી ભાગી જાય છે. આ કુકડવેલનું નસ્ય લેતી વખતે કે ફળ ખાંડતી વખતે ખાસ ધ્યાન રાખવુ કારણ કે આપને આ ફળની સ્મેલથી ભયંકર છીકો આવી શકે છે. જો કે આ છીંકોથી શરીરમાં રહેલો કચરો દુર થાય છે.

આ ઉપરાંત કુકડવેલનો ખરો ઉપયોગ તો કમળો મટાડવામાં થાય છે. ભાદરવામાં તાવ અને કમળાનો વ્યાધી પણ પુરબહારમાં હોય છે કારણ કે ભાદરવામાં પિત્ત પ્રકોપે છે.કમળામાં પણ નસ્ય આપવામાં આવે છે. કમળો પિત્તજન્ય રોગ છે અને કમળામાથી મોટેભાગે કમળી થઇ જવાના ચાન્સ વધુ રહેતા હોય છે. આ કમળામાં જો આ કુકડવેલનું નસ્ય કોઇ સારા જાણકાર વૈધની દેખરેખ નીચે આપવામાં આવે તો ખુબ જ સારા પરીણામ મળે છે. નસ્ય આપવાથી દર્દીના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં પિત્ત બહાર નીકળી આવે છે.

ગીરનું દેશી આયુર્વેદ ***
હસુ દાદા.જામવાળા(ગીર)
Mo.૯૫૭૪૬૧૨૫૩૪.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles