૧૮ પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે અપનાવવી જોઇએ એકવાર અચુક વાચજો અને શેર કરજો

0

૧૮ પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે અપનાવવી જોઇએ ૧. સોડા અને ઠંડા પીણાને કહો બાય બાય કોઈપણ પીણા પીવાથી આપણા શરીરમાં ઓછા સમયમાં ખૂબ વધારે કેલરી જાય છે , જેથી ચરબીમાં વધારો થાય છે . સોડા અને ઠંડા પીણાઓનું સેવન જેમ બને એમ ઓછું કરવું જોઇએ . બહુ વધારે પીણાં પીવાથી ડાયાબિટીઝ , હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે .

૨. સુકોમેવો ખાઈ શક તો ખૂબ ખાવા સુકામેવો એટલે કાજુ , બદામ , અંજીર વગેરેપ તે ખુબજ પોષ્ટીક અને હેલ્થી છે . સુકામેવામાં મેગ્નેશિયમ , વિટામિન ઈ , ફાઇબર્સ તથા બીજા કેટલાક પોષકતત્વો રહેલા હોય છે . એક અભ્યાસમાં જાણવા મળેલ છે કે સુકામેવા ખાવો શરીર માટે ફાયદાકારક છે .

૩. જંક ફૂડથી દૂર રહો જંક ફૂડ એટલે કચરો . તે માત્ર ભુખ દૂર કરે છે તેમાંથી શરીરને પોષણ મળતું નથી . કેમ કે જંક ફૂડ પોષકતત્વોયુક્ત હોતું નથી . તે માત્ર આપણું પેટ ભરે છે , પેટ બગાડે છે અને મેદસ્વીતા વધારે છે . માટે શકય હોય તો જંકફૂડથી દૂર રહો …

૪. કોફી પીવાનું રાખો કોફીમાંથી પૂરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ મળી રહે છે . કેટલાક અભ્યાસોમાં તારણ બહાર આવ્યુ કે કોફીથી ડાયાબિટીઝ , અલઝાઈમર જેવી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે .

૫. પૂરતી ઊંઘ લો સંપૂર્ણ દિવસને તાજગીભર્યો બનાવા રાત્રે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે . અપૂરતી ઊંઘથી યાદશક્તિ ઓછી થાય છે , હોર્મોન્સનું સંતુલન બગડે છે અને આપણા શરીરની ઉર્જા પણ ઘટી જાય છે .

૬. પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ લો ફાઈબર્સ એટલે કે રેસાયુક્ત ખોરાક . આંતરડા માટે ખૂબ જરૂરી છે . ફાઇબર્સ આપણા સ્નાયુઓ માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે . સફરજન , કેળા , સ્ટ્રોબેરી જેવા ફળોમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે

૭. જમતા પહેલા પાણી પીવો પૂરતા પ્રમાણમાં પાણી પીવાના ઘણા ફાયદા છે . જમતાની ૩૦ મિનિટ પહેલા પાણી પીવાથી વજન ઘટવાની પ્રક્રિયા ૪૪ ટકા ઝડપી બને છે . કારણ એટલું જ છે પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે . ઓછુ ખવાય છે અને આપણે ફિટ રહીએ છીએ . પણ એટલું ચોક્કસ ધ્યાન રાખો કે જયા પહેલા અને પછી ૪૫ મિનિટ પછી જ પાણી પીવું જોઇએ . જમતી વખતે નહી .

૮. ઊંઘતા પહેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી દૂર રહો . રાત્રે ઊંઘતાના એક કલાક પહેલા કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના સંપર્કમાં ન આવો તથા ઊંઘતી વખતે રૂમમાં ઘોર અંધારું રાખો તો ઊંઘ સારી આવે છે .

૯. પૂરતા પ્રમાણમાં વિટામિન “ ડી ” લેવું સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે . વિટામિન ડીની ગોળીઓ પણ લઇ શકો છો . પણ તેના કરતા સવારના હુંફાળા આછા તડકામામ ફરો તો સારું . વિટામિન ડીથી હાડકા મજબૂત રહે છે , ઉર્જામાં વધારો થાય છે , ડિપ્રેશન ઓછું થાય છે તથા કેન્સરની સંભાવના ઘટે છે .

૧૦. શાકભાજી તથા ફાળો ખાઓ શાકભાજી તથા ફળોમાં ભરપૂર માત્રમાં ફાઇબર્સ , વિટામિન્સ , મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે . એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો શાકભાજી તથા ફળો વધારે ખાય છે એ લોકોનું આયુષ્ય વધી જાય છે તથા હૃદયરોગ અને ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય છે .

૧૦. શાકભાજી તથા ફાળો ખાઓ શાકભાજી તથા ફળોમાં ભરપૂર માત્રમાં ફાઇબર્સ , વિટામિન્સ , મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે . એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો શાકભાજી તથા ફળો વધારે ખાય છે એ લોકોનું આયુષ્ય વધી જાય છે તથા હૃદયરોગ અને ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય છે .

૧૧. પૂરતા પ્રમાણમાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવો પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું એ આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે . પ્રોટીનની કમીથી અનેક બિમારી થાય છે . નબળા આવવી તેમાં મુખ્ય છે . જો તમારે મજબૂત અને યુવાન રહેવું હોય તો પ્રોટીનયુક્ત ખોરાક જરૂરી છે .

૧૨. કાર્ડીઓ- કસરત કરો દોડવું , બોક્સિંગ , દંડબેઠક તથા દોરડા કૂદવા આ બધી કસરતોનો કાર્ડીઓમાં સમાવેશ થાય . શારીરિક તથા માનસિક હેલ્થને સારી રાખવા કાર્ડીઓ ઉત્તમ છે . શરીર માટે રોજ ૩૦ મિનિટ તો આપો .

૧૩. વ્યસનથી દૂર રહો જો તમે ધુમ્રપાન કરો છો અથવા ડ્રગ્સ લઇ રહ્યા છો તો પહેલા આ બે વસ્તુને બંધ કરવી પડશે . જો આ બે વસ્તુ બંધ નહિ થાય તો કસરત કરવાનો અથવા સારો ખોરાક ખાવાનો કોઈ અર્થ જ નથી . દારૂના સેવનને સંપૂર્ણપણે બંધ કરો . યાદ રાખો કોઇ પણ વ્યશન શરીર માટે હાનિકારક જ છે .

૧૪. તેલ – તળેલા ખોરાકથી દૂર બને તો કોઇ પણ પ્રકારના તેલથી દૂર રહો . તેલ બને એટલું ઓછું શરીરમાં નાખશો તો વધુ હેલ્થી રહેશો . તેલથી દૂર રહો . ખાવું જ હોય તો ખૂબ ઓછુ ખાવ . યાદ રાખો તેલનો કોઇ સ્વાદ હોતો નથી . વિશ્વસ ન હોય તો ચમચી વડે ચાખી જુવો . તે પોષણયુક્ત નથી પણ આપણું કોલેસ્ટ્રોલ જરૂર વધારી દે છે .

૧૫. ખાંડથી દૂર રહો ખાંડનું સેવન જેટલું ઓછું કરો એટલે આપણા શરીર માટે ફાયદાકારક છે . જેમ બને એમ કુદરતી મીઠાશવાળા ફળોનો વધારે ઉપયોગ કરો . વધારે ખાંડના સેવનથી ડાયાબિટીસ , હૃદયરોગ તથા કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ વધી જય છે .

૧૬. કસરત કરો જીમમાં જઈને કસરત કરો . વજનિયા ઊંચકો . સ્નાયુઓ મજબૂત કરો , શરીરની રચના સારી બનાવો આનાથી તમારી મેટાબોલિક હેલ્થ સુધારે છે . શરીર ફિટ લાગશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે .

૧૭. ભરપૂર ઉપયોગ કરો આદુ અને હળદર બળતરા વિરોધી તથા એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે . ગરમ મસાલાઓ ખુબજ ગુણકારી હોવાથી તેમનો ઉપીયોગ કરવો જોઈએ . પણ બધુ પ્રમાણમાં …

૧૮. તમારા સંબંધોની સંભાળ રાખો સામાજિક સબંધો ફક્ત માનસિક શાંતિ માટે જ નહિ પરંતુ શારીરિક શાંતિ માટે પણ સારા હોવા મહત્વપૂર્ણ છે . એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો પાસે ગાઢ મિત્રો તથા પરિવાર સાથે સારા સંબંધ હોય છે , તેઓ નોર્મલ લોકો કરતા વધારે અને સારું જીવન જીવી રહ્યા છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here