ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

0

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મહિલાને રસોડામાં કામની સ્માર્ટ ટિપ્સ જરૂર વાંચો અને શેર કરો

    દાંતમાં થતાં દર્દ થી રાહત મેળવવાં ઘરે આ ઉપાય જરૂર અજમાવી જુઓ અશોક વૃક્ષનાં પાંદડાં ઉકાળીને તે પાણી ઠંડું પડે એટલે કોગળા કરવાથી દાંતનું દર્દ મટે છે. જો તમે ઘરે આઈસ્ક્રીમ બનાવો છો તો આઈસ્ક્રીમ બજાર જેવો બનાવવા માટે સ્વાદિષ્ટ કસ્ટર્ડ બનાવવા માટે ખાંડ સાથે એક-બે ચમચી મધ અને ફીણેલી તાજી મલાઈ નાંખો. રસોડાના સિંકમાં…

  • રસોઇ ની રાણી બનવા માટે અપનાવો આ રસોઇ ટીપ્સ બગડેલી રસોઈને પણ સારી કરી દેશે

    સ્પ્રાઉટ્સને લાંબા સમય સુધી તાજા રાખવા માટે, તેમાં લીંબુનો રસ ઉમેરો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. જો શાકમાં મીઠું વધુ પડતું હોય અથવા શાક વધુ મસાલેદાર થઈ ગયું હોય તો તેને ઘટાડવા અને સંતુલિત કરવા માટે ક્રીમ, દહીં અથવા તાજી ક્રીમનો ઉપયોગ કરો. જો તમે દેશી ઘીને લાંબા સમય સુધી તાજું રાખવા માંગતા હોવ તો તેમાં…

  • રસોડાની સફાઈ માટેની આ ટિપ્સ વાંચી લો કામ સરળ બની જશે

    અઠવાડિયામાં બે વાર ગેસ સ્ટવ સાફ કરો. સૌ પ્રથમ, મુખ્ય ગેસ કનેક્શન બંધ કરો. પછી ભીના સ્પોન્જ વડે સ્ટોવની ટોચ, નોબ્સ અને હેન્ડલ્સ સાફ કરો. એક સ્વચ્છ કપડાને વિનેગરમાં ડુબાડો અને તેનાથી કિચન પ્લેટફોર્મ સાફ કરો. આ પ્લેટફોર્મ પર જમા થયેલી ગંદકીને સાફ કરે છે અને કીટાણુઓને પણ મારી નાખે છે ડીશવોશરના દરેક ઉપયોગ પછી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here