10 પ્રકારના દાતણ કરવાથી કયા રોગ માટે ગુણકારી છે તમે જાણો છો

0

દાતણની માહિતી. દસેક પ્રકારના દાતણ આવે છે જે નીચે પ્રમાણેનાં વૃક્ષ દ્વારા સરળતાથી ઉપલબ્ધ છે

કરંજ… લીમડો..વડ.. આંબો… જાંબુડો….બાવળ.. ખીજડો..ખેર.. આવળ..ગુલેર અશોક (આસોપાલવ)…આમળા.. હરડે

આ ઉપર જણાવેલ તમામ વૃક્ષોનાં દાતણ ઉપયોગી છે આંબાનું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફનું સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે. આંબાનું દાતણ ત્યારે જ કરવું જ્યારે કેરીની સિઝન ચાલુ થઈ જાય.લીમડાનું દાતણ હોળી પછી કરવું જોઈએ. આ દાતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ. આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિતનું શમન કરીને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે. લીમડાનાં દાતણ ઉનાળામાં જ કરવું

વડનું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળામાં પણ કરી શકાય. વડનાં દાતણથી દાંતનાં પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.ખેરનું દાતણ ગરમીમાં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાનાં ચાંદાઓથી છુટકારો અપાવે છે.

બાવળનું દાતણ (દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુમાં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળનાં દાતણમાં સલ્ફર હોઈ જે માણસને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુમાં કરાય, તેનું દાતણ નિરાપદ છે.

તથા ગુલર, ખીજડો, ખેર.. આ પણ નિરાપદ દાતણ છે.કણજીનું દાતણ મોઢામાં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવામાં હાંફ ચડતો હોઈ એમને આમળાનાં વૃક્ષનું દાતણ કરવું જોઈએ.કરંજનું દાતણ માત્ર કરવાથી મુખની દુર્ગંધ દુર કરવાની સાથે સાથે દાંતમાં થતા પાયોરીયા નામક રોગને મટાડે છે, એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સારી ફ્રેશનેસ પણ મળે છે.

આ તમામ પ્રકારનાં દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યારબાદ કોઈ બીજા વનસ્પતિનું દાતણ લેવું. સીઝન પ્રમાણે.. રોટેશનમાં.આ દાતણ 8 આંગળ લાબું અને એક આંગળ જાડુ લેવું અને રસદાર હોય એવું લેવું. ચાવી ગયેલ દાતણને કાપીને નવેસરથી દાતણ કરવું. દાતણને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મળે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપીને દાતણને પાણીમાં બોળી રાખવું .દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક છે. માટે એકવાર જરૂર અપનાવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here