ઉપયોગમાં આવે ફર્નીચર માટેની કિચન ટીપ્સ

0

(1) ફર્નિચર પરથી ડાઘ દૂર કરવા માટે આ ઉપાય ચોક્કસ અજમાવજો લીંબુ પર મીઠંું ભભરાવી ઘસવાથી અથવા ઓકઝેલિક એસિડથી ફર્નિચર પર પડેલા શાહીના ડાઘ નીકળી જાય છે. જો ડાઘ વધારે જૂના હોય તો ત્યાં સહેજ સ્પિરિટ રેડી કપડાથી ઘસો.(2) ફર્નિચર પર બાળકો વારંવાર લીટા કરતા હોય છે આમ ફર્નીચર પડેલા લિસોટા દૂર કરવા માટે અખરોટની છાલની લીસી બાજુને ઘસવાથી તે સમથળ બની જશે. જો ફર્નિચર પર ઘેરા બ્રાઉન રંગનું પોલિશ કરેલું હોય,  તો ઘસવાથી પડેલા ડાઘ દૂર કરવા બ્રાઉન શૂ પોલિશ રૂ પર લઈને તેના પર લગાવો એ સિવાય આયોડિન પણ લગાવી શકાય.

(3) ફર્નિચર પર સળગતી દીવાસળી, મીણબત્તી વગેરે પડી જવાથી કે વધારે ગરમીને લીધે  બળી જવાથી ઊંડા ડાઘ પડી જાય છે. આ માટે સિગારેટની રાખને લીંબુના રસમાં મિક્સ કરી પેસ્ટ બનાવવી ડાઘવાળી જગ્યાએ લગાવી દો. તેનાથી ડા ઘ સંપૂર્ણપણે નીકળી જતા નથી, પરંતુ છુપાઈ તો જાય છે. જો કે ફર્નિચર વધારે બળી ગયું હશે તો આ રીતે સફળ નીવડશે નહીં.(4)  ફર્નિચરમાં ચમક લાવવા માટે ૧ ચમચો ઓલિવ ઓઈલ, ૧ ચમચો સફેદ ઓઈલને થોડા સમય  ગરમ પાણીમાં મિક્સ કરી ફર્નિચર પર પોતું ફેરવવું. આમ કરવાથી ફર્નીચરમાં ચમક આવે છે (5) લાકડા માંથી થતી ઉધઈ થી લાકડાને બચાવવા માટે લાકડામાં ઊધઈ થતી હોય, તો તેમાં તમાકુ ભરવું આમ કરવાથી ઉધીનો નાશ થશે(6) પલંગના ચારેય પાયા પર કપૂરની પોટલી લટકાવવાથી પલંગ પરના માંકડ ભાગી જાય છે. અને કોઈ જીવત પણ થતી નથી

(7) બારીની જાળી પર કેરોસીનનું  પોતુ ફેરવવાથી કરોળિયાના જાળા થતા નથી.(8) પોલિશ કરેલ ટેબલ પર પડેલાં ગરમ પાણીના ડાઘ દૂર કરવા સલાડ  ઓઈલની અંદર મીઠું મેળવી ડાઘ પર લગાડી એક કલાક સુધી રહેવા દેવું, ત્યારબાદ મુલાયમ કપડાંથી ઘસીને લૂછી નાંખવાથી ડાઘ અદ્રશ્ય થઈ જશે.(9) ડ્રોઅરના ખાનામાં અંદર વાર્નીશ લગાડવાથી સફાઈ વધુ સારી થાય છે. આમ વર્નીશથી સફાઈ કરવી(10)ફર્નિચર પર્ફ્યૂમ, પીણાં, દવાઓ, ગરમ પાણી વગેરે ઢોળાવાથી પણ ડાઘ પડી જાય છે આ ડાઘ દુર કરવા માટે . આથી તે ઢોળાય કે તરત જ તે જગ્યા લૂછીને નાખીને ટર્પેન્ટાઈન અને અળસીના તેલને ૧:૪ના પ્રમાણમાં મિક્સ કરી સાફ કરો. આ મિશ્રણ બનાવીને શીશીમાં ભરાવી રાખવું વધારે સારું,  જેથી જરૂર પડે કે તરત તેનો ઉપયોગ કરી શકાય. (11) ફર્નિચરનું પોલીશ ઝાંખુ થઈ ગયેલું હોય તો, આ ઉપાય કરો ત્યારે ચા બનાવ્યા પછીના તપેલીમાં વધેલા ચાનાં પાંદડાને (સાકર વગરનાં) એટલે કે ખાંડ વગરના ફર્નિચર પર ઘસવાથી થોડીવારમાં ફર્નિચર પર ચમક આવી જશે!(12) પોલીસ કરેલું ફર્નિચર ચકચકિત કરવા માટે પોલિશ કરેલું ફર્નિચર સરકાવાળા પાણીથી સ્વચ્છ અને ચકચકિત બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here