દવા વગર આયુર્વેદ લેપ કરવાથી સફેદ ડાઘ દુર કરવાનો અકસીર ઈલાજ

0

સફેદ ડાઘ વીષે નીચે વીસ્તૃત માહીતી છે. એમાંથી આપને અનુકુળ લાગે તે આપના આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈ ઉપાય કરવા વીનંતી. સફેદ ડાઘ : સફેદ ડાઘ કોઈ રોગ નથી. એ માત્ર ચામડી નીચે જે રંગદ્રવ્ય હોય છે તે અદૃશ્ય થઈ જવાથી એટલે કે કોઈ રીતે નષ્ટ થવાથી દેખાતી ત્વચા છે. એ થવાનું કારણ વીરોધી ખાનપાન ગણાય છે. વીરુદ્ધ આહાર એટલે દુધ સાથે કેળાં, ખજુર, લીંબુ, પપૈયાં જેવાં ફળ, ગોળ, લસણ, ડુંગળી, મુળા, ગાજર, તુલસી, આદુ, દહીં, છાસ, કઢી, ઢોકળાં, અથાણાં જેવી કોઈ પણ ખટાશ, કે માંસ, મચ્છી, ઈંડાં, કોડલીવર ઓઈલ લેવું વીરુદ્ધ આહાર ગણાય. ઉપરાંત દહીં સાથે પણ ગોળ, મુળા, કેળાં વીરુદ્ધ આહાર ગણાય. તેમ જ ગોળ સાથે મુળા, તેલ, લસણ, અડદ પણ વીરુદ્ધ છે. વળી ઘી અને મધ સમાન ભાગે વીરુદ્ધ ગણાય છે. એ બે સાથે લેવાનાં હોય તો જરુર મુજબ એકને બીજાથી બમણું લેવું. સફેદ ડાઘમાં આ પરેજી ખાસ પાળવી.

(૧) અત્યંત ઉગ્ર ગંધને લીધે તરત ઓળખાઈ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસીદ્ધ ઔષધ છે. એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નીયમીત પીવાથી સફેદ ડાઘ અને બીજાં ચામડીનાં દર્દો નાશ પામે છે. એનો બીજો પાઠ પણ નીચે છે. (૨) બાવચીનાં બીને દુધમાં ખુબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દુધમાં ઘસી પેસ્ટ(લેપ) જેવું બનાવી સફેદ ડાઘના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અર્ધો કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી સફેદ ડાઘ મટે છે. (૩) મન:શીલ, હરતાલ, કાળાં મરી, સરસીયુ અથવા બાવચીનું તેલ, અને આંકડાનું દુધ આ બધાંનો લેપ બનાવી ચોપડવાથી સફેદ ડાઘ મટે છે. (૪) મોરથુથુ, વાવડીંગ, કાળાં મરી, કઠ-ઉપલેટ, લોધર અને મન:શીલ આ દ્રવ્યોનો લેપ સફેદ ડાઘ મટાડે છે.

(૫) કરંજનાં બી, કુવાડીયાનાં બી અને કઠ એટલે કે ઉપલેટ આ ત્રણે ઔષધો સમાન ભાગે લઈ બારીક ચુર્ણ કરો. એને ગૌમુત્રમાં લસોટી તેનો લેપ સફેદ ડાઘવાળા સ્થાન પર લગાડવાથી થોડા દીવસોમાં જ સફેદ ડાઘ મટવા લાગે છે. (૬) રસવંતી અને કુવાડીયાનાં બીજને કોઠાના રસમાં મીશ્ર કરી કરેલો લેપ સફેદ ડાઘ મટાડે છે. (૭) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, સફેદ ડાઘ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે. (૮) હળદર અને દારુહળદર, ઈન્દ્રજવ, કરંજનાં બીજ, જાયનાં કોમળ પાન, કરેણનો મધ્ય ભાગ તથા તેની છાલ આટલાનો લેપ કરી તેમાં તલના છોડનો ક્ષાર નાખી લગાડવાથી સફેદ ડાઘ મટે છે. (આ લેપ લગાડી સવારના તડકામાં બેસવું) (૯) કુંવાડીયાનાં બીજ, કઠ, સૌવીરાંજન, સીંધવ, સરસવનાં બીજ તથા વાવડીંગ આ બધાં ઔષધો સરખા ભાગે લઈ તેને ગૌમુત્રમાં ખુબ જ લસોટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડી તડકામાં બેસવાથી ક્રીમી, સફેદ ડાઘ, દદ્રુ, તથા મંડલ કુષ્ઠ-સોરાયસીસ થોડા દીવસોમાં મટે છે. (૧૦) સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું. (૧૧) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીનાં પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી સફેદ ડાઘ પર સવાર-સાંજ લગાડવાથી ફાયદો થાય છે.

(૧૨) ગાયના મુત્રમાં ૩-૪ ગ્રામ હળદર મેળવી પીવાથી સફેદ ડાઘ મટે છે. (૧૩) તાજા અડદ વાટી ધોળા સફેદ ડાઘ પર ચોપડવાથી સારો લાભ થાય છે. (૧૪) તાંદળજાની ભાજી ખાવાથી સફેદ ડાઘ મટે છે. (૧૫) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે. (૧૬) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી સફેદ ડાઘ મટે છે.

(૧૭) કેળના સુકવેલા પાનનો બારીક પાઉડર માખણ કે ઘી સાથે મેળવી દીવસમાં ચારેક વખત લગાડવો. દીવસો સુધી પ્રયોગ ધીરજ પુર્વક કરતા રહેવાથી સફેદ ડાઘ મટે છે. (૧૮) આંકડાનાં મુળ ૪૦ ગ્રામ, કરેણનાં મુળ ૪૦ ગ્રામ, ચણોઠી ૪૦ ગ્રામ, બાવચીનાં બીજ ૨૦૦ ગ્રામ, હરતાલ ૪૦ ગ્રામ, સુકો ભાંગરો ૪૦ ગ્રામ, હીરાકસી ૨૦ ગ્રામ અને ચીત્રકમુુળ ૨૦ ગ્રામનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ બનાવી એ પલળે એટલું ગૌમુત્ર નાખી ખુબ લસોટી પેંડા જેવડી સોગઠીઓ બનાવી સુકવી લેવી. આ સોગઠી પથ્થર ઉપર ગૌમુત્રમાં લસોટવી. આ પેસ્ટ સવાર-સાંજ સફેદ ડાઘ પર લગાડવાથી કોઈને જલદી તો કોઈને ધીમે ધીમે મટે છે. આ ચુર્ણ ફક્ત બાહ્ય ઉપચાર માટે જ વાપરવું, ખાવામાં ઉપયોગ કરવો નહીં. (૧૯) સફેદ ડાઘ અસાધ્ય ગણાય છે. શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દીવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહીનાની અંદર પરીણામ જોવા મળે છે. ધીરજ પુર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઈએ. વળી આ ઉપચારની ખુબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઈ આડ અસર નથી. આમ છતાં ઉપાય કરતાં પહેલાં તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.

(૨૦) ગરમાળો, કરંજ, થોર, આંકડો અને ચમેલી પાંચેય વનસ્પતીનાં પાન ગોમુત્રમાં પીસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે. (૨૧) રાળનું તેલ દીવસમાં બે વખત નીયમીત લગાડવાથી સફેદ ડાઘ મટે છે. શાલવૃક્ષનો ગુંદર રાળ તરીકે ઓળખાય છે. દેશી દવાવાળાને ત્યાં એ રાળના તેલ તરીકે વેચાય છે. (૨૨) કંકોડાનો રસ ચોપડવાથી અને તેનું શાક ખાવાથી સફેદ કોઢનો રોગ મટે છે. (૨૩) બાવચીના દાણા-બીજ અને કાળા તલનું સરખા ભાગે બનાવેલું એક ચમચી મીશ્રણ રોજ રાત્રે ફાકી જવાથી અને સફેદ ડાઘ પર બાવચીનું તેલ લગાડી સવારના તડકામાં એક કલાક રોજ બેસવાથી એ મટી જાય છે. (૨૪) સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું.

અહીં બતાવેલાં કેટલાંક ઔષધો ઝેરી છે, આથી બાળકોથી એને સલામત રીતે દુર રાખવાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here