ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તમારા રસોડામાં વંદા કે જીવજંતુને ભગાડવા ફક્ત આટલું કરો

    રસોડાની બરાબર સફાઈ ન કરવામાં આવે તો રસોડામાં વંદા અને જંતુઓનો ઉપદ્રવ વધી જાય છે આમ જંતુનો  નાશ કરવા કરવ આટલું કરો, લસણ કાંદાની બાસ્કેટને હંમેશા માટે  સાફ રાખો કિચન કે જ્યા અનેક પ્રકારના ખાદ્ય ખોરાક રાખવામાં આવે છે, દાળ મરી મસાલાથી લઈને અનેક ખાવાપીવાની વસ્તુઓનો અહીં આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ, ઘણી વખત લસણ ,ડુંગળીમાં…

  • નોનસ્ટીક તવી અથવા નોનસ્ટીક વાસણને સાફ રાખવા માટેની ટીપ્સ

    kitchen tips: મોટા ભાગે ઢોસા બનાવવા માટે નોનસ્ટીક તવીનો ઉપયોગ થતો હોય છે એવું કહેવામાં આવે છે ક નોનસ્ટીક વાસણ સાફ કરતી વખતે ખાસ ધ્યન રાખવું પાડે છે જો તવી સાફ કરતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો બીજી વખત ઢોસા બનાવતી વખતે ઢોસા તવીમાં ચોટવાની સમસ્યા થાય છે.  નોનસ્ટિક વાસણ એવા હોય છે કે…

  • વર્ષો જૂના દાદીમાના સમયના વસાણા બનાવો અને આખું વર્ષ તંદુરસ્ત રહો

    શિયાળાની શરૂઆત થી ગઈ છે એટલે ઠંડીમાં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે તેમજ શરીર ને ગરમ કરવા માટે ગરમ તાસીર હોય તેવા પદાર્થ ખાવામાં આવે તો શરીર તંદુરસ્ત રહે છે અને શિયાળામાં થતા દુખાવાથી રાહત મળે છે આમ શિયાળામાં ખાય શકાય તેવા વસાણા ની રેસીપી નીચે આપેલી છે . શિયાળામાં ગુંદર પાક ખાવા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles