મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
અવનવી ચટપટી વાનગી બનાવવાની રેસીપી
સુરતી ખમણ રીત …..ચણાની દાળને સાતેક કલાક પલાળી રાખો.પછી બધું પાણી કાઢી બે વખત ધુઓ એટલે વાસ ના મારે . હવે એ દાળને મિક્સીમાં પીસી નાંખો . હવે એને ઢાંકીને આથો આવવા માટે રાખો . એમાં પાંચ મેથીના દાણા નાંખો . દસ કલાક પછી આથો આવી જાય એટલે એમાં મીઠું , આદુ , મરચા અને…
અેકસાથે 15 રોગોનો ઉપચાર જરૂર વાંચો
દરરોજ પીવો આ મેજીકલ ડ્રીંક વરિયાળીમાં કેલ્શિયમ , સોડિયમ , આયર્ન અને પોટેશિયમ જેવાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકો ઉનાળામાં વરિયાળીનું શરબત પણ પીએ છે. વરિયાળીનું પાણી પીવાથી શરીર ઠંડું રહે છે અને પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. વરિયાળીનું પાણી બનાવવા માટે રાતે એક ગ્લાસમાં પાણી લઈ બે ચમચી વિરયાળી અને…
ઉપયોગમાં આવે તેવી ૯ ઘરગથ્થુ ટીપ્સ
કપડાંનો રંગ ઉતરતો હોય તો, ચારોળીને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે , ઉપયોગમાં લેવાયેલી ચાની ભુક્કીનો ઉપયોગ, વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા (૧) તમારા વાળ ખરવાની સમસ્યા થી ખુબ પરેશાન છો તો હવે પરેશાન થવાની જરૂર નથી આ તેલ માથામાં નિયમિત ઘસવાથી વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મળશે રાઇનું તેલ વાળમાં ઘસવાથી વાળ ખરવાની સમસ્યામાંથી…
