મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ફરાળી રેસીપી માટે અહી ક્લિક કરો, રાજગરાના લોટનો શીરો, શીંગના લાડુ, ફરાળી ભજીયા, ફરાળી નાનખટાઈ
તમે કોઇપણ તહેવાર પર ઉપવાસ કરો છો ત્યારે શું ફરાળ કરવો એ મોટો પ્રશ્ન ઉદભવે\છે તો આજે આપડે ફરાળી રેસીપી વિષે વધુ જાણશું રાજગરાના લોટ શીરો શીરો બનાવવા માટે જરૂરી સામગ્રી : રાજગરાના લોટ શીરો બનાવવાની રીત: એક કઢાઈમાં ઘી રેડી ગેસ પર ગરમ કરો તેમાં રાજગરાનો લોટ ઉમેરી ધીમાં તાપે સાંતળો, તેમાં સુકી દ્વાક્ષ…
છાસ, દુધ, દહીના આયુર્વેદ ઉપચાર
છાશ પીવાના ફાયદાઓ : જો કોઈને કબજિયાતની તકલીફ હોય તો છાશ પીવું તેના માટે અમૃત સમાન છે છાશમાં અજમો નાખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે . છાશમાં શેકેલા જીરું અને કુદીનામાં મેળવી પીવાથી લીવર અને પેટમાં થતી તકલીફને દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે . દેશી ઘી ખાવાના ફાયદાઓ : દેશી ઘી નિયમિત…
ઉપયોગમાં આવે તેવી 14 કીચન ટીપ્સ
કરમાઈ ગયેલ કોથમીરને કલાકમાં તાજી કરવા માટે, પીતળના વાસણ ચમકાવવા માટે, કાચ પરના ડાઘ દુર કરવા, મરચાં સમારવાથી હાથમાં બળતરા થાય છે, સ્ટીલના વાસણ પરથી ડાઘ દુર કરવા માટે (1) પીતળના વાસણ ચમકાવવા માટે અને ઝડપથી સાફ કરવા માટે લીંબુંની છાલથી પિત્તળના વાસણ સાફ કરવાથી પિત્તળ ચમકી ઉઠશે…………..અને પીતળના વાસણ સાફ કરવામાં વધુ સમય નહિ…
