મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઉપયોગમાં આવે તેવી 11 ઘરગથ્થુ ટીપ્સ
(1) તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે કોપરેલના તેલનો આ પ્રયોગ જરૂર કરવો જોઈએ કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે. જો તમારી ત્વચા એકદમ શુષ્ક રહેતી હોય તો આ પ્રયોગ અજમાવવો(2) તમારા ઘરમાં કાંદા નથી પરંતુ તમે કૈક વઘારમાં કાંદા નાખવા માંગો છો તો આ ઉપાય તમારી પાસે કાંદાની કમી દુર કરશે’ આદુના…
જીરાનું પાણી અને મધ મિક્સ કરી પીવાથી થાય છે ગજબના ફાયદા
જીરાનું પાણી અને મધ મિક્સ કરી પીવાથી થાય છે આ ફાયદા આ ઉપાય છે જીરાનું પાણી અને મધના , જે તમારા શરીરના ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવશે . જીરાનું પાણી અને મધને મિક્સ કરી પીવાથી તમને થશે આ 9 લાભ પહેલા આવો જાણીએ એને બનાવવાની વિધિ અને પછી જાણીએ એના અમૂલ્ય લાભ વિશે જરૂરી સામગ્રી :…
આયુર્વેદિક રીતે અનેક રોગોનો ઉપચાર જરૂર વાંચો અને વધુમાં વધુ શેર કરો
આયુર્વેદિક રીતે શરીરનું વજન ઘટાડવા ની રીત સવારે ઉઠતા જ એક ગ્લાસ ગરમ પાણી માં અડધું લીંબુ નાખી અડધી ચમચી સિંધાલૂણ મીઠું નાખી પી જાવ બપોર જમવામાં દેશી રાતો કે ભૂખરો ગોળ નો ભરપૂર ઉપયોગ કરો ( સફેદ બિલકુલ નહી ) જમ્યા બાદ કાળા તલ એક મુઠી ખાવા અને જમીને પાણી ન પીવું 1 કલાક…
