ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • લીલાં મરી ખાવાથી થાય છે અઢળક ફાયદા વીશે જાણો અને શેર કરો

    લીલાં મરી : તીખાં, મધુર, પ્રમાણમાં ઓછાં તીક્ષ્‍ણ અને ઉષ્‍ણ, સારક, ભારે, કફનાશક અને રસાયણ છે. તે પિત્તકારક નથી. ઉપયોગ : (૧) ધોળાં મરીના બે-ત્રણ દાણા દરરોજ ગળવાથી તે રોગનો સામનો કરે છે અને રોગ થયો હોય તો તેને વધતો અટકાવે છે. (૨) સળેખમ અને ખાંસી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ ઘી અને…

  • લીલા મરચા નુ અથાણું બનાવવાની પરફેક્ટ રીત

    લીલા મરચા નુ અથાણું બનાવા માટે ની સામગ્રી: ૨૦૦ ગ્રામ વઢવાની લીલા મરચા, ૧ થી દોઢ ચમચી મીઠુ , ૧ ચમચી હળદર , ૨ ચમચા લીંબુ નો રસ, પૂરણ માટે: ,૫૦ ગ્રામ રાઈ ના કુરીયા, ૨૫ ગ્રામ મેથી ના કુરીયા, ૨૫ ગ્રામ ગોળ, ૧ થી ૧/૨ ચમચી સિંધાલૂણ અથવા સંચાળ, ૧ ચમચી જીરુ, ૧ ચમચી હીંગ, ૧૦૦…

  • વારંવાર ડોક્ટર પાસે ન જવું હોય તો, આજે જ નોંધી લો આ 20+ પ્રાચીન નુસખા

    » રોજ સવારે તુલસીના પાન સાથેબેકાળામરી ચાવી જવાથી કફ થતો નથી . » સૂકા રહેતા હોઠપરદિવસમાં એકવાર કોપરેલ અથવા ઓલિવ ઓઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયઘ થાય છે .» અપચામાં 1 ગ્લાસ પાણીમાં લીંબુ અને આદુનો રસ સરખે ભાગેલઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવીશરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું . આરામ મળ . »…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles