મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
કોરોનાથી બચવા ઘરે જ રહીને ઘરગથ્થુ ઉપાયો દ્વારા આ રીતે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો
કોરોનાથી બચવા ઘરે જ રહીને ઘરગથ્થુ ઉપાયો દ્વારા આ રીતે વધારો તમારી રોગપ્રતિકારક શક્તિ ૧ ) ૧ વ્યક્તિ માટે ૧૦પાન તુલસી ના ર મરી ૧ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ચોથી ભાગ બાકી રહે એટલે ગળીને પીવું આ ઉકાળામાં સુંઠ , આદુ , હળદર , અજમો ગાળ જેવા રસોડાના ઔષધો પણ નાખી શકાય આ ઉકાળો…
કફ , ખાંસી , ઊલટી , દમ , તુણા , કૃમિ અને વિષનો નાશ કરે છે આ જાયફળ અને જીવત્રી
જાયફળ અને જીવત્રી = જાયફળ કડવું , તીક્ષ્ણ , ઉષા , ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર , મળને રોકનાર ગ્રાહી , સ્વર માટે હિતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે . એ મોઢાનું બેસ્વાદપણું , મળની દુર્ગંધ , કૃમિ , ઉધરસ , ઊલટી – ઊબકા , શ્વાસ – દમ , શોષ , સળેખમ…
વરિયાળી ખાવાથી વજન ઘટાડવા, પાચન,ઉધરસ, ખીલ જેવા અનેક રોગો સામે રક્ષણ આપે છે તો ફાયદા વાંચો અને શેર કરો
વજન ઘટાડવા : રોજ અડધી ચમચી વરિયાળીનો પાઉડર એકગ્લાસ નવશેકા પાણી સાથેદિવસમાં બે વાર લો . ફેટ ઓછુંથશે . પાચન સુધારવા – વરિયાળીને તવી પર શેકી રોજ ભોજન બાદ મુખવાસ તરીકે ખાઓ , તેમાં રહેલુંફાયબર પાચનને દુરસ્ત રાખે છે . સ્કીનમા ચમક લાવવા – સવાર – સાંજ વરિયાળી ખાવાથી લોહી સાફ રહે છે અને સ્કિન…
