મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ફક્ત પાંચ જ મીનીટમાં નિંદર આવી જશે દબાવો કાંડાનો આ ભાગ પછી જુઓ ચમત્કાર
એક્યુપ્રેસર પોઈન્ટની મદદથી ઘણા બધા રોગનું નિદાન થઇ શકે છે આમ એક્યુપ્રેસર પોઈન્ટથી દવા વગર રોગનું નિદાન થાય છે આજે આપડે નિંદ્ર ન આવતી હોય કે મોડી આવતી હોય એવા લોકો માટે ખાસ એક્યુપ્રેસર પોઈન્ટ ની ચર્ચા કરીશું સ્પિરિટ ગેટ : આ રીતે પ્રેશર આપો બબ્લિંગ સ્પ્રિંગ: આ રીતે પ્રેશર આપો વિંડપૂલ : આ…
તારીખ જતી રહી હોય એવી વસ્તુઓનો ઉપયોગ
દરેક ખાદ્ય પદાર્થને એક્સપાયરી ડેટ હોય છે આપણે સૌ તારીખ જતી રહે એટલે વસ્તુ ફેકું દેતા હોય છી પરંતુ અમુક વસ્તુ એવું હોય છે કે તારીખ જતી રહે તો બીજી રીતે ઉપયોગ કરવામાં આવે છે શું તમે જાણો છો તારીખ જતી રહી હોય તેવી પ્રોડક્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તો આજે આપને એવી…
ઔષધોને ઓળખો અને તેના ફાયદા વિષે જાણો
તમારી આજુબાજી વનવગડામાં થતી ઔષધીને ઓળખો અને તેના આયુર્વેદિક ઉપયોગ વિષે જાણવા ફોટા પર ક્લિક કરો અખરોટ ખાવાના ફાયદા વિષે જાણો: અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તાં પણ પ્રોટીન અને…
