મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ફુદીનાના પાન જડમુળથી દુર કરશે આ જટિલ રોગ
ફૂદીનાના ઔષધિય ગુણ ખુબ છે ફુદીનો ઉનાળાની સિઝનમાં ખાવો ખુબ ફાયદાકારક માનવામાં આવે છે પેટમાં ગરબડ થવી , વારંવાર ઉલટી જેવું થવું, પેટમાં ગેસનો ભરાવો થવો ફુદીનાનાં તાજા પાનનો રસ એક ચમચો માત્રા જેટલો લઇ અડધો કપ પાણી સાથે ભેળવી પીવું. આમ નિયમિત લેવાથી પેટમાં ગરબડ થવી , વારંવાર ઉલટી જેવું થવું, પેટમાં ગેસનો ભરાવો…
ઉનાળામાં હાથ-પગને કાળા પડતા અટકાવવા આ રીતે કાળજી રાખો
ગરમ હવા લાગવાથી તમારા હાથપગની સ્કીને કાળી પડવાની સાથેસાથે હાથપગની કોમળતાને ચોરી લે છે. તેના પરિણામે હાથપગની સ્કીન ધીમેધીમે નિસ્તેજ થઈ જાય છે. ધગધગતા તાપમાં તમારા હાથ અને શરીરના અન્ય ખુલ્લા ભાગને ગરમીથી તપતા બચાવવા માટે તેની પર હંમેશાં એસપીએફ ૩૦+ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. સાંજના સમયે પણ હળવા મોઇશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આમ ઉનાળામાં…
ઓછું પાણી પીવાથી થાય છે ભયંકર બીમારીઓ
ઓછું પાણી પીવાથી આ બીમારીઓનું જોખમ રહે છે કબજિયાતની સમસ્યા વધી શકે છે- ઓછું પાણી પીવાના કારણે શરીર ખાવાનું યોગ્ય રીતે પચાવી શકતું નથી, જેના કારણે પેટ સાફ નથી થતું. લાંબા સમય સુધી ઓછું પાણી પીવાની આદત હોય તો પેટ સાથે સંબંધિત સમસ્યા થવાની આશંક વધી જાય છે .એક્જિમાની સમસ્યા વધી શકે છે- ત્વચા પર…
