મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
વજન ઉતારવા માટે 10 ઘરેલુ નુશખા ઝડપથી તમારી ચરબી ઓગળશે
બેલી ફેટને લીધે સ્ટાઈલિશ અને ફેશનેબલ ડ્રેસ પહેરી ના શકતા હો તો ડોન્ટ વરી ટૉપ -10 ઘરેલુ નુસ્ખાથી ઝડપથી ચરબી ઓગાળો તમારું વજન પાણીની જેમ પીગળી જશે દરેક મહિલાઓ સ્લિમ દેખાવા ઇચ્છતી હોય છે પરંતુ લાખ પ્રયત્નો કર્યા હોવા છતાં મેદસ્વિતા પીછો છોડતી નથી . પ્રેગ્નન્સી પછી વજન વધી જાય છે અને તે વજન ઉતારવું…
શિયાળામાં લીલું લસણ ખાવાથી ગંભીર બીમારી દુર થાય છે
લીલું લસણ છે અતિ ગુણકારી, અનેક બીમારીઓથી મળશે રાહત શિયાળો આવતાની સાથે જ લોકો અવનવી વસ્તુઓ બનાવીને ખાવાનું શરૂ કરી દે છે. ત્યારે શિયાળાની સૌથી ખાસ વાત હોય છે બજારમાં મળતા વિવિધ શાકભાજી, આ શાકભાજીમાંથી એક લીલું લસણ છે. શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. ખાસ કરીને લસણનો ઉપયોગ દરેક ઘરમાં…
આયુર્વેદની દ્રષ્ટીએ દહીના ઉત્તમ ફાયદા
આયુર્વેદમાં દૂધને સર્વોત્તમ ખોરાક કહ્યો છે કારણ કે દૂધના સેવનથી જરૂરી બધા જ તત્વો શરીરને મળી રહે છે. પરંતુ કેટલીક વ્યક્તિઓને દૂધ પાચન શક્તિ મુજબ અનુકૂળ નથી આવતું. આ પ્રકારના લોકોએ દહીંને ખોરાકમાં રોજીંદા ઉપયોગમાં લેવું જોઈએ. દહીં ખાવાથી પણ દૂધ ખાવા જેવા જ ફાયદા થાય છે જેથી તેમની પાચન શક્તિ સારી રહે અને શરીરની…
