મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શિયાળામાં તલ અને ગોળ ખાવાથી થાય છે ગજબના ફાયદા શુષ્ક ચામડી માટે તો ઉત્તમ માનવામાં આવે છ
તલ ઉત્તમ વાયુનાશક માનવામાં આવે છે. જો તલ સાથે ગોળ અને ઘી ભળે એટલે સોંઘો અને સારો શિયાળું પાક તૈયાર થઈ જાય શિયાળામા તલ ખાવાથી ખૂબ ફાયદો થાય છે શિયાળામાં તલની અનેક પ્રકારની વાનગી બનાવવામાં આવે છે શિયાળામાં દરેક લોકો ની મોતી સમસ્યા છે ચામડી શુષ્ક થવી અને ફાટી જવી શિયાળામાં ત્વચાને રુક્ષતાથી બચાવવા માટે…
ચિકનગુનિયાના લક્ષણો અને તેનાથી બચવાના ઘરેલું ઉપચાર
ચિકનગુનિયાઃ એક પ્રકારનું વાઈરલ ઈન્ફેક્શન છે . એડિસ ઇજિપ્તિ નામના મચ્છરના કરડવાથી મનુષ્યમાં ટ્રાન્સમિટ થતો રોગ છે . આ મચ્છર ખાસ કરીને દિવસ દરમિયાન કરડતા હોય છે . ચિકનગુનિયા ચેપી રોગ છે , પરંતુ વ્યક્તિથી વ્યક્તિમાં નહીં , પરંતુ મચ્છર દ્વારા વ્યક્તિઓમાં ફેલાતો ચેપી રોગ છે . ચિકનગુનિયા રોગનાં લક્ષણો દર્દીઓમાં બેથી સાત દિવસ સુધી…
શરીરમાં આયર્નની ઉણપ દુર કરવા રોજ સવારે પીવો આ પાણી
‘ ધાણા ’ આપણા શરીરમાં આયરનની ઉણપને પૂર્ણ કરશે ભોજનનો સ્વાદ વધારવા માટે ખાસ કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ તેનાથી અનેક બીમારીઓનો ઇલાજ કરી શકાય છે સાથે શરીરમાં અનેક પ્રકારના પોષક તત્વોની પૂર્તિ માટે તેની મહત્વની ભૂમિકા હોય છે . કોથમીર સિવાય તેના બીજનો ઉપયોગ ઘરમાં મહત્વપૂર્ણ મસાલા તરીકે કરવામાં આવે છે . તે…
