ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રગડા પૂરી અને રગડા ચીઝ મસાલા પૂરી બનાવવાની રીત

    રગળા ચીઝ મસાલા પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 વાટકો સફેદ વટાણા બાફેલા 1 નાની વાટકી ફોદીના ની ચટણી 1 નાની વાટકી મરચા શીંગ દાણા ની ચટણી 1 વાટકો બટેકા નો માવો 1 નાની વાટકી ખજૂર આંબલી ની ચટણી ગરમ મસાલો સ્વાદ અનૂસાર 2 નંગ કાંદા મીઠું સ્વાદ અનૂસાર 2 ક્યૂબ ચીઝ નાની વાટકી લસણ ની ચટણી નાની વાટકી સૂઘારેલી કોથમીર રગળા ચીઝ મસાલા…

  • ફ્રીઝમાં ક્યારેય બાંધેલો લોટ મુકશો નહિ, થશે આ નુકશાન આ જરૂર વાંચો અને શેર કરો

    ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે દરરોજ લોટ બાંધવામાં આવે છે અને  ભોજન બાદ જે લોટ વધે છે તેને આપણે ફ્રીઝમાં મુકી દેતા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય અથવા સાંજનો લોટ સવારે ઉપયોગ કરી શકાય. ઘણા કેટલીક મહિલાઓ સવાર અને સાંજનો  લોટ એક સાથે જ બાંધી લેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન…

  • દિવસભરનો થાક પણ દૂર કરવા ખાવ આ શાકભાજી

    ઇમ્યુનીટી સ્ટ્રોંગ બનાવવા માટે ખાઓ રીંગણા કેટલાય લોકો રીંગણ જોઇને જ મોંઢા બગાડે છે . ત્યારે કેટલાય લોકોને રીંગણ ખૂબ જ ફેવરિટ હોય છે . રીંગણ એક એવી શાકભાજી છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી જાય છે . રીંગણને માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ આ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે . રીંગણમાં એવા કેટલાય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles