ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવાની રેસીપી નોંધી લો

    ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવા જરૂરી સામગ્રી 5 નંગ મિડિયમ સાઈઝ ના બટાકા 4 નંગ લાલ સુકા મરચાં 6 ‐- 7 કળી લસણ મીઠું, 1/2 ચમચી હળદર 1 ચમચી કશમિરિ મરચું 1 ચમચી ધાણા જીરું પાઉડર 1/2 ચમચી ગરમ મસાલો 2 ચમચા તેલ 1 ચમચો કટ કરેલા લીલા ધાણા 1/4 ચમચી હિગ પ્રથમ લાલ મરચા ને 1/2 કલાક ગરમ પાણી મા પલાળી લેવા.બટાકાને ધોઇને કુકરમાં…

  • આખા વર્ષના મસાલા સ્ટોર કરવાની ૧૨ કિચન ટીપ્સ,

    આખા વર્ષની તુવેર દાળ સ્ટોર કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબત તુવેર દાળમાં આખા વર્ષ દરમિયાન જીવાત નહિ પડે અને એવી જ તાજી રહેશે દાળને જીવાતથી બચાવવા માટે તેમાં કેસ્ટર ઓઇલના થોડા ટીપાં નાખીને મિક્સ કરો. ચોમાસામાં બધી નાસ્તામાં બોવ ધ્યાન રાખવી પડે છે વારંવાર હવા લાગવાથી નાસ્તો પોચો પડી જાય છે અને આપને જમતી…

  • 5000 વર્ષ જૂની રામબાણ ઔષધી દવા વગર કરે છે અનેક રોગોનો નાશ

    5000 વર્ષ જૂની રામબાણ ઔષધી છે. તેનુંવાનસ્પતિક નામ ધૃતકુમારી, કુવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 ઉપજાતિઓ છે જેમાંથી કેટલીક ગણતરીની જ ઔષધીય ગુણોથી યુક્ત હોય છે. તેની કેટલીક પ્રજાતીઓમાંથી એક છે જે સૌથી વધુ પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મિલર જેને અલોવેરા પણ કહેવામાં આવે છે.એલોવેરોને સૌથી શ્રેષ્ઠ એન્ટિબાયોટિક…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles