ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ફરાળી પાતરા, કેળાની ચિપ્સ, ઉપવાસ થાલીપીઠ, સાબુદાણાની ખીચળી બનાવવાની સરળ રીત

    કેમ છો મિત્રો આજે આપને ફરાળી વાનગીની રેસીપી લઈને આવિયા છી જયારે કોઈને ઉપવાસ હોય ત્યારે ફરાળ શું કરશું તે પ્રશ્ન સતાવતો હોય આ ફરાળી વાનગી તમને જરૂર કામ લાગશે ઉપવાસના દિવસોમાં તો નીચે આપેલી તમામ વાનગીની રેસીપી જરૂર વાંચો અને ઘરે બનાવવાની કોશીસ કરશો રેસીપી સારી લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ફરાળી પાતરા: સૌ પ્રથમા આપણેફરાળી પાતરાબનાવવાની રેસીપી શીખીશું તો ફરાળી પાતરા બનાવવા માટે જરૂરી …

  • રસોડું જ આપણું સાચું દવાખાનું છે દવાખાને જાવાની જરૂર નથી

    રસોડું જ સાચું દવાખાનું છે રસોડામાં લોટ દાળની સાથે અનેક વ્યંજનો રાખવાનાં થતાં હોય છે જેના આપણા અનેક રોગોની દવા સમાયેલી હોય છે જે કોઈ આ ઔષધ વિષે નથી જાણતા હોતા આજે આપને આપણા રસોડામાં રહેલ અનેલ વ્યંજન વિષે જાણીશું જે ક્યાં રોગ માટે કેવી રીતે કામ કરે છે તેના વિષે વિસ્તૃતમાં માહિતી જાણીશું .…

  • વાયુ અથવા ઉંધો ગેસ ચડે તો તેના લીધે થતો કમરમાં દુઃખાવા માટેની સારવાર

    આંતરડામાં અપાનવાયુ વિકૃતિના લીધે  થાય છે કમરના દુઃખાવા થવામાં વાયુદોષની વિકૃતિ મુખ્ય કારણ હોય છે . શીતળ જળપાન, વધારે પરિશ્રમ, દોડવું, તરવું, ઝડપથી ચાલવું , કમર ઉપર વાગવું કે ચોટ લાગવી, અચાનક ખાડામાં પગ પડી જવો, સડેલો કે વાસી ખોરાક ખાવાથી, અતિ મૈથુન કરવાથી, વધરે વજન ઉચકવાથી, વાહન પર મુસાફરી કરવાથી વગેરે અનેક કારણોથી શરીરમાં વાયુની વૃદ્ધિ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles