મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઉપયોગ આવે તેવી ઘરગથ્થુ 12 કિચન ટીપ્સ
બરણીમાં બારેમાસ અથાણું સાચવી રાખવા માટે, દૂધ ફાટી જાય તો તેનો ઉપયોગ શેમાં કરવો, ફળોનો સ્વાદ કુદરતી જળવાઇ રહે માટે, હેરડાઇ લગાડતી વખતે શરીર પર ડાઘ લાગે નહિ એ માટે (1) તમારા વાળ પર હેરડાઇ (hair dry) લગાડતી વખતે શરીર પર અથવા તમારા કપડા પર તેના ડાઘ ઘણીવાર પડી જતા હોય છે તેવું ન થાય…
જમરૂખના પાન ખાવાથી થતા ફાયદા, ધણા વર્ષોની ડાયાબિટિસની દવા બંધ કરી દેશો
જમરૂખના પાન ખાવાથી થતા ફાયદા , પ્લેટલેસ વધે છે, જખમ રૂઝાવવામાં મદદગાર , ડાયાબિટિસમાં ફાયદાકારક, ડાયાબિટિસમાં ફાયદાકારક, મુખમાંના છાલા દુર કરેતમને બધાએ સંભાળીયુ હશે જમરૂખ ફળ તો ગુણકારી છે, પરંતુ તેના પાનમાં પણ ઘણા ઔષધીય ગુણો ભરપુર માત્રામાં સમાયેલા છે જે કોઈ જાણતા નથી બધા લોકો ફક્ત જમરૂખ ખાવાનું જ માન્ય રાખે છે પર્નાતું તમે…
પંજાબી વાનગીઓ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા : પરોઠા , નાન , શાક , પુલાવ , દાળ – આ મુખ્ય પંજાબી વાનગીઓ છે . 2 ગ્રેવી બનાવવા માટે કોળું વાપરવું . તેને છોલી , છીણીને ઉપયોગમાં લેવું . તેનો સ્વાદ હોતો નથી . ડુંગળી ને ખાતા હો તો ડુંગળીને બદલે છે , દૂધી , કોબીજ ઝીણી છીણીને કે…
