મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઉપયોગમાં આવે ફર્નીચર માટેની કિચન ટીપ્સ
(1) ફર્નિચર પરથી ડાઘ દૂર કરવા માટે આ ઉપાય ચોક્કસ અજમાવજો લીંબુ પર મીઠંું ભભરાવી ઘસવાથી અથવા ઓકઝેલિક એસિડથી ફર્નિચર પર પડેલા શાહીના ડાઘ નીકળી જાય છે. જો ડાઘ વધારે જૂના હોય તો ત્યાં સહેજ સ્પિરિટ રેડી કપડાથી ઘસો.(2) ફર્નિચર પર બાળકો વારંવાર લીટા કરતા હોય છે આમ ફર્નીચર પડેલા લિસોટા દૂર કરવા માટે અખરોટની…
પશ્ચિમોત્તાનાસન આસન કરવાના ફાયદા અને રીત
પશ્ચિમોત્તાનાસન આસન કરવાથી તમારા શરીમાં અનેકગણા ફાયદા થાય છે આ અઆસ્ન કરતા પહેલા તેના ફાયદા જાણવા જરૂરી છે : આ પશ્ચિમોત્તાનાસ આસનથી સ્નાયુ ઓ અને માસંપેશીઓ કસાઈને મજબૂત અને નીરોગી બને છે . તમારી દરરોજ ચાલવાની શક્તિ આવે છે. પેટની અંદરના અવયવો જેવાં કે જઠર, , પીઠ, મૂત્રપિંડ આંતરડાં, કાળજું વગેરે સુદ્ઠ બને છે અને…
મત્યાસન આસન કરવાના ફાયદા વિષે વધુમાં જાણો અને શેર કરો
મત્યાસન આસન વિષે વધુમાં માહિતી જાણવા આગળ પૂરેપૂરું વાંચો : મત્સ્ય એટલે અર્થ માછલી. આ (મત્યાસ્ન)આસનમાં શરીરનો આકાર માછલી જેવો થતો હોવાથી તેને મત્સ્યાસન કહેવામાં આવે છે. આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી તરી શકે છે તેથી પણ એને મત્સ્યાસન કહેવામાં આવે છે.મૂળ સ્થિતિ : મૂલાયમ આસન અથવા ચટાઈ પાથરી પદ્માસનની…
