ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • માથાથી પગ સુધીની બ્લોક નસો ખોલવા અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની આરુર્વેદીક દવા

    આજના જમાનામાં લોકોને બહારનું ખાવાનું વધી ગયું છે લોકોને સાચો ખોરાક શું છે તેનું કઈ ભાન રહ્યું નથી આથી વારંવાર બીમાર પડે છે છે અને નાની ઉમરમાં હાથ પગના દુખાવા થવા લાગે છે ખાલી ચડી જાય છે ઘણી વખત શરીરમાં નસ બ્લોક થઇ જવાનો પણ પ્રોબ્લેમ થાય છે આજે આપણે ઘરગથ્થું ઉપચારથી બ્લોક નસને કેવી…

  • અનાનસ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વિશે જાણો અને શેર કરો

    અનનાસ : પાકું અનનાસ મુત્રલ , કૃમીનાશક અને પીત્તશામક છે . તે ગરમીના વિકારો , પેટના રોગો , બરોળવૃદ્ધી , કમળો , પાંડુરોગ વગેરે મટાડે છે . સગર્ભાને તથા ભુખ્યા પેટે અનનાસ નુકશાનકારક છે . ( ૧ ) પાકા અનાનસના રસમાં બમણી સાકર ઉમેરી જરૂરી પાણી નાખી શરબત બનાવી પીવાથી હૃદયને બળ મળે છે તથા…

  • આ લેપ લગાવવાથી સોજા અને સાંધાના દુઃખાવા છૂમંતર થાય છે

    અગર : અગરનાં વૃક્ષો બંગાળના વાયવ્ય ઈલાકા સલહટ તરફ જેટીય પર્વત પર અને તેની આસપાસ થાય છે . આસામમાં ઘણા પર્વતો પર તથા મલબાર , કર્ણાટક તરફ પણ આ વૃક્ષો થાય છે . અગરનાં વૃક્ષો મોટાં અને બારેમાસ લીલાંછમ રહે છે . તેનાં પાંદડાં અગરના શા મોટાં અને બારેમાસ લીલાંછમ રહે છે . તેનાં પાંદડાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles