મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
દવા વગર દરેક પ્રકારના રોગોની સારવાર છે આ 13 દાતણમાં
દરેક પ્રકારના રોગોની સારવાર દવા વગર મહર્ષિ વાગભટ્ટના મત અનુસાર ઘણા પ્રકારના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે . ( 1 ) કરંજ (2 ) લીમડો ( ૩ ) વદ ( 4 ) આંબો ( 5 ) જાંબુડો ( 6 ) બાવળ (7 ) ખીજડો . ( 8…
શરદી થાય ત્યારે ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ નહીતર થશે મોટું નુકસાન
ભૂલથી પણ પણ શરદીમાં ન ખાશો આ આ વસ્તુઓ નહીતર થશે મોટું નુકસાન અચાનક સિઝન બદલાતા આપણું શરીર જલ્દીથી નવા વાતાવરણમાં આવતા થોડો સમય લે આવા સમયે શરદી – ઉધરસ જેવા રોગ વકરવા લાગે છે . ઠંડી લાગે એટલે આપણે સામાન્ય રીતે કેટલીક વસ્તુઓનો ઉપયોગ શરૂ કરવા લાગીએ છીએ જેનાથી ફાયદો થવાના બદલે નુકસાન થાય…
તડકા છાયામા કેરીનો મુરબ્બો અને છૂંદો બનાવવાની પરફેક્ટ રીત
તડકા છાયા છૂંદો અને મુરબ્બો..બનાવવા જરૂરી સામગ્રી 2 કીલો રાજાપુરી કેરી છોલી છીણ પાડી લેવો.. સાફ સ્ટીલ ના તપેલી માં છીણ માપી નાખવો …તેના થી સવા ગણી કે દોઢ ગણી ખાંડ ,સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવુ…તાપ માં ચાસણી થઇ ઘટ્ટ થશે…માટે ને થોડો રસદાર બનશે..માટે ખાંડ વધુ લેવી…..હલાવી…એક દિવસ માટે..ઢાકી..રાખી..વચ્ચે વચ્ચે હલાવી લો…ચેક કરી…પૂરી રીતે…
