મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
વર્ષો જુની એલર્જી મટાડવા કરો સસ્તો ઘરગથ્થુ ઉપાય
શરીરને રોગ અને ચેપથી મુક્ત રાખતી તેમ શરીરના અવયવો અને તમામ પ્રકારના કોષોને સંયુક્ત અને તંદુરસ્ત રાખતી ઇમ્યુન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે. ડોક્ટરના મત અનુસાર દુનિયામાં એવા લોકો પણ છે જે કોઇ ને કોઇ પ્રકારની એલર્જીનો શિકાર બનેલા હોય છે. આવી વ્યક્તિઓને સામાન્ય રીતે એલર્જિક તરીકે ઓળખવામાં આવે છે. એલર્જી કારણે શ્વાસનળી પર સોજો,…
જેઠીમધનો ઉકાળો, ગિલોયનો ઉકાળો, કાલમેઘનો ઉકાળો બનાવવાની રીત
જેઠીમધનો ઉકાળો એ શ્વાસનળી સ્વસ્થ રાખે છે અને ખરાશ દૂર કરે છે જેઠીમધના લાકડાંમાં કેલ્શિયમ , એન્ટિઓક્સિડન્ટ , એન્ટિ બાયોટિક અને પ્રોટીન હોય છે . તેનું સેવન કરવાથી શ્વાસનળી સ્વસ્થ રહે છે . તેને ચાવવાથી ગળાંની ખરાશ દૂર થાય છે . આ રીતે બનાવો જેઠીમધનો ઉકાળો : તેનો ઉકાળો બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં પીસેલા…
શરદી ,ઉધરસ, કફના રોગ માટે ઔષધીયુક્ત ધુમાડો
‘ધૂમ’ એટલે ‘ધુમાડો’ અને ‘પાન’ એટલે ‘પીવું’. ઔષધીયુક્ત ધુમાડો નાક-મોઢા દ્વારા અંદર લઈને મોઢામાંથી બહાર કાઢવો એને ‘ધૂમપાન’ કહે છે. શ્વસનતંત્ર સાથે સંબંધિત વાયુ (વા) અને કફના રોગ , ઉદા. શરદી ,ઉધરસ, દમ થાય નહીં અને જો તે થયા હોય તો ઝડપથી સાજા થઈ શકાય, તે માટે ‘ધૂમપાન’ (ઔષધીયુક્ત ધુમાડો લેવો)’ એવો ઉપાય કરવાનું જણાવ્યું…
