ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ડો.વિનુભાઈ પટેલે પાંચ મહારોગથી બચવા માટેની ચાવી બતાવી

    આપણુ બગીચા જેવું છે . આપણો સંકલ્પ માળી જેવો હોવો જોઈએ સ્વસ્થ જીવનશેલી જાળવીએ પાંચ મોટા રોગથી બચીએ e કેિન્સર , ટીબી , હૃદયરોગ , ડાયાબીટીસ અને મલેરિયા બાબતે ડો . વિનુભાઈ પટેલનું પુસ્તક રાજકોટ : અમદાવાદના જાણીતા લેખક – પંચમહારોગોથી બચીએ ડો.વિનુભાઈ પટેલે પાંચ મહારોગથી બચવાની માટેની ચાવી બતાવતુ પુસ્તક સ્વાસ્થ સેવા ટ્રસ્ટના માધ્યમથી…

  • આ રીતે દૂધમાં સાકર ભેળવી પીવો , ઘોડા જેવી તાકાત આવી જશે

    સાકરના લાભ હજાર : આ રીતે દૂધમાં ભેળવી પીવો , ઘોડા જેવી તાકાત મેળવો સાકરવાળું દૂધ પીવાથી આંખો પણ તેજ થાય છે , તમે જાણો છો સાકરના બીજા ફાયદા ? સાકરનો ઉપયોગ ખૂબ સીમિત રહી ગયો છે . જોકે , તમે પ્રસાદ તરીકે સાકર લીધી જ હશે . હોટલમાં જમ્યા પછી પાચન માટેસાકર અને વરિયાળી…

  • ચેહરાની સુંદરતા વધારવા આ ઔષધી કાંટાનુ ચૂર્ણ અકસીર ઇલાજ

     શીમળાને તીક્ષ્ણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલચોળ ફુલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલમાંના ચીકણા રસમાંથી લાલ ગુંદર થાય છે જેને મોયરસ કહે છે. શીમળાનું વૃક્ષ નાનું હોય તો તેના પર કાંટા વિશેષ પ્રમાણમાં હોય છે , પરંતુ વૃક્ષની વય વધતા આ કાંટાઓ ધીમે – ધીમે ઓછા થઈ જાય છે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles