ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • માટીના તવા પર બનાવેલ ભોજન ખાસો તો નહીં થાય આ બીમારીઓ

    શરીરના વિકાસ માટે ખાવાનું ખુબ જ જરૂરી છે અને જ્યારે તમે માટીના વાસણમાં ભોજન બનાવો છો તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. હંમેશા લોકોએ સાંભળ્યું હશે કે ખાવાનું જેટલું શાંતિથી અને ધીરે-ધીરે ચઢાવામાં આવે તે એટલું જ ફાયદાકારી હોય છે, પરંતુ આજકાલ ખાવાનું બનાવા માટે એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણનો ઉપયોગ કરાય છે. જેમાં…

  • આધાશીશી માથાનો ગમે એટલો ભયંકર દુખાવો દુર કરશે આ ઉપાય

    આધાશીશી ( માઇગ્રેઇન ) માથુ દુખે ત્યારે આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે. દ્રાક્ષ અને ધાણાને ઠંડાપાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે. હિંગ ને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધાશીશી મટે છે. હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી અથવા સુંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે…

  • ફણગાવેલા કઠોળ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

    કાચા ખાદ્ય પદાર્થમાં સૌથી પૌષ્ટિક અને ગુણકારી ફણગાવેલ કઠોળ હોય છે. જે સરળતાથી પચી પણ જાય છે. ફણગાવેલા ધ્રોળ તૈયાર રાખવાથી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. પાચન શક્તિની તકલીફવાળા દર્દીઓ માટે તો આ સંજીવની છે. કોઈપણ લીલા અનાજ ભલે તે વટાણા, ચણા કે મગ હોય પણ તે સુકા અનાજના પ્રમાણમાં વધુ ફાયદાકારક હોય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles