મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
પૃથ્વી પરની સંજીવિની ગણાતું એવું જુવારનો રસ કરે છે કેન્સરનો ઈલાજ
કાપ્યા પછી તુરંત જવારને ધોઈ લો. પછી તેમને પાણી સાથે ભળી દો અને મિક્સિકમાં ભેળવી દો. તમે તેમાં મધ અથવા આદુ ઉમેરી શકો છો, આ રસને ગાળીને પી શકો છો. હંમેશાં તેને તાજો પીવો કારણ કે તેના પોષક તત્વો ત્રણ કલાકમાં ખોવાઈ જાય છે. જો કે જુવારનો રસ દિવસના કોઈપણ સમયે લઈ શકાય છે, પરંતુ…
અપચો અેટલે કે તમારી પાચન શક્તિ વધારવા ઉતમ ઔસધ અતિવિષની કળી
અતિવિષની કળી : અતિવિષની કળી કંઈક ગરમ , તીક્ષ્ણ , અગ્નિદીપક , ગ્રાહીમળને બાંધનાર , ત્રિદોષશામક , આમાતિસાર , કફપિત્તજ્વર , ઉધરસ , વિષ , ઊલટી , તૃષા , કૃમિ , મસા , સળેખમ , અતિસાર અને સર્વ વ્યાધિહર ગણાય છે , અતિવિષ સર્વદોષહર , દીપનીય – પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે .…
ખાવા – પીવાનું મન ન થતું હોય અરુચિ દુર કરવાના 28 નુસખા
અરુચિ : ખાવા – પીવાનું મન ન થતું હોય તો ( ૧ ) દાડમ ખાવાથી કે દાડમના રસમાં મરી , સિંધવ , સંચળ નાખી પીવાથી અથવા સુંઠ અને ગોળ ખાવાથી કે લસણની કળીઓને ધીમાં તળીને રોટલી સાથે ખાવાથી અરુચિ મટે છે ; ભૂખ ઉઘડે છે . ( ૨ ) લીંબુની બે ફાડ કરી તેની ઉપર…
