મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
કોકમનુ શરબત પીવાથી થતા ફાયદા વીશે વધુમાં વાંચો અને શેર કરો
પરિચય :કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્વાદિષ્ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે. ગુણધર્મ :કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્ણ, ખાટાં, તૂરાં,…
અશક્તિ-નબળાઈ દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
અશક્તિ-નબળાઈ દૂર કરવા મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. જમ્યા પછી ત્રણ ચાર કેળા ખાવાથી અશક્તિ દૂર થાય છે. ખજુર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘા વાગ્યાથી કે ઘા માંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દૂર થાય છે. પાંચ પેસી ખજુર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઉંઘ…
દરરોજના ભોજનમાં આ 5 વસ્તુઓ ઉમેરો, હાર્ટએટેક રહેશે દુર આ માહિતી વધુમાં વધુ શેર કરો
તમારા દરરોજનાં ભોજનમાં અનેક વસ્તુઓ એવી છે, જેનો દરરોજ પ્રયોગ કરવાથી હ્રદય રોગ અને હ્રદયઘાત થી બચી શકાય છે. આવો, જાણો એવી ઘરગથ્થુ વસ્તુઓ જેના વિષયમાં તેનો સાચી રીતે નિયમિત ઉપયોગ કરવાથી તમારા હ્રદય ને લગતી સમસ્યાઓ થી બચી શકો છો. લો આ રહ્યાં આપને હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ આપના કિચનમાં જ છે … * ડુંગળી…
