ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શરદી ઉધરસ માટે રામબાણ ઇલાજ એટલે ફક્ત એક ઔષધ અરડૂસી

    અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે. અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે. અડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના…

  • રોજ પલાળેલી મુઠ્ઠીભર મગફળીના દાણા ખાશો તો થશે આ અદભૂત ફાયદા

    રોજ પલાળેલી મગફળીના મુઠ્ઠીભર દાણા ખાશો તો થશે આ ફાયદા હેલ્થ ડેસ્કઃ ખોરાકમાં પલાળેલી મગફળીના મુઠ્ઠી ભરીને દાણા રોજ લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો પર કાબૂ કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા બ્લડ સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી બચાવશે. સ્નાયુઓને આકાર આપી મજબૂત કરશે. સવારે મગફળી ખાવાથી શરીરને પ્રોટીન અને કેલ્શિયમ મળી શકે…

  • ચાલો આજે કેન્સર ની ચર્ચા કરીએ અને બચવાના ઉપાયો જાણીએ

    વધારે પડતી શેકેલી, બળી ગયેલી કે ખૂલી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં1 કાળા પડી ગયેલાં ભાગમાં પોલી સાઇકલીક એરોમેટિક હાઇડ્રોકાર્બન જમા થાય છે. જે ખાવાથી કેન્સરની શક્યતા 70 થી 80 ટકા વધી જાય છે. કોબીજ, ફ્લાવર અને સરસવ કેન્સરમાં ઉપયોગી છે. કેન્સરની દવા જેવા જ કેન્સર વિરોધી રસાયણો ફ્લાવરમાં હોય છે. જે મોટાં આંતરડામાં રહેલાં કેન્સરના…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles